સુરત : સમ્મેત શિખરને પર્યટન સ્થળ તરીકે જાહેર કરાતા જૈન સમાજમાં ભારે આક્રોશ, 3 કિમી લાંબી રેલી યોજી તંત્રને આપ્યું આવેદન...

સરકાર દ્વારા ઝારખંડ ખાતે જૈન તીર્થ સ્થળ સમ્મેત શિખરને પર્યટન સ્થળ તરીકે વિકસવાની જાહેરાત કરાતા જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

New Update
સુરત : સમ્મેત શિખરને પર્યટન સ્થળ તરીકે જાહેર કરાતા જૈન સમાજમાં ભારે આક્રોશ, 3 કિમી લાંબી રેલી યોજી તંત્રને આપ્યું આવેદન...

સરકાર દ્વારા ઝારખંડ ખાતે જૈન તીર્થ સ્થળ સમ્મેત શિખરને પર્યટન સ્થળ તરીકે વિકસવાની જાહેરાત કરાતા જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરત શહેરમાં પણ જૈન સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જૈન સમાજે 3 કિમીની વિશાળ રેલી કાઢી તંત્ર આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

ઝારખંડ ખાતે આવેલું સમ્મેત શિખર જૈન સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે. જૈનો તેને તીર્થસ્થળ માને છે. જૈનોની આ પાવનભૂમિને સરકાર દ્વારા પર્યટન સ્થળ તરીકે જાહેર કરતાની સાથે જ જૈનોની લાગણી દુભાઈ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ કોઈ પર્યટન સ્થળ નહીં પરંતુ તીર્થસ્થાન છે, અને તેને આસ્થાનું કેન્દ્ર રહેવા દેવું જોઈએ તેવી જૈન સમાજની લાગણી છે, ત્યારે સુરતમાં આજે જૈન સમાજે પાર્લે પોઇન્ટથી કલેકટર કચેરી સુધી 3 કિમીની વિશાળ રેલી યોજી હતી. આ રેલીમાં જૈન સમાજના પ્રતિક સમાન લાંબો ઝંડો પણ ફરકાવાયો હતો. જૈન સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

જૈન અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સુરતના જ નહીં પરંતુ અન્ય રાજ્ય અને શહેરોના લોકો પણ અમારી સાથે આ રેલીમાં સમર્થન આપી રહ્યા છે. આ મહા રેલીમાં સાધુ, સંતો, સમાજના આગેવાનો, યુવાનો સહિત મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાય હતી. અમારા તીર્થસ્થાનો ઉપર જાણે અસામાજિક તત્વો આક્રમણ કરતા હોય તેવો ભાવ થઈ રહ્યો છે, ત્યારે અમારી લાગણી અને માગણી છે કે, સરકાર આ બન્ને સ્થળોને તીર્થસ્થાન તરીકે જાહેર કરે. આમ હજારોની સંખ્યામાં જૈનો દ્વારા રેલી સ્વરૂપે પોતાની લાગણી સરકાર સમક્ષ મુકવામાં આવી હતી.

Read the Next Article

સુરત : ખાડીપૂરની સમસ્યાના હલ માટેની કવાયત,કાયમી નિરાકરણ માટે હાઈ પાવર કમિટીની કરાશે રચના

સુરતમાં છેલ્લા 7 વર્ષથી ખાડીપૂરને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને છેલ્લા બે વર્ષમાં ખાડીપૂરમાં 6 લોકોના મોત પણ થયા છે. તાજેતરમાં જ ખાડીપુરે સર્જી હતી તારાજી

New Update
  • ખાડીપૂરની સમસ્યાથી લોકો છે પરેશાન

  • તાજેતરમાં જ ખાડીપુરે સર્જી હતી તારાજી

  • ખાડીપૂરની સમસ્યાના નિરાકરણ માટે કવાયત

  • કેન્દ્રીય મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક

  • હાઈ પાવર કમિટીની કરવામાં આવશે રચના  

સુરત અને આસપાસના વિસ્તારોમાં ખાડીપૂરની વર્ષો જૂની સમસ્યાના કાયમી ઉકેલ માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની સૂચનાથી એક હાઈ-પાવર કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના નિષ્ણાતો અને ટેકનિકલ ટીમોના સહયોગથી કામ કરશે.

સુરતમાં છેલ્લા 7 વર્ષથી ખાડીપૂરને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને છેલ્લા બે વર્ષમાં ખાડીપૂરમાં 6 લોકોના મોત પણ થયા છે. આ ગંભીર સમસ્યાના નિવારણ માટે સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીપાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલ અને આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ,સાંસદ પ્રભુ વસાવાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠક અંદાજે અઢી કલાક ચાલી હતી અને ખાડીપૂરના કાયમી નિરાકરણ માટે આ પ્રકારની બેઠક પ્રથમવાર યોજાઇ હતી.

બેઠકમાં અધિકારીઓ દ્વારા તમામ ખાડીઓની ભૌગોલિક સ્થિતિનું મેપ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન મંત્રીઓને આપવામાં આવ્યું હતું. શહેરમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ભરાતા પાણી અને ખાડીપૂરના કાયમી નિરાકરણ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી.ખાડી ડાયવર્ઝન અને ડ્રેજિંગ જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકીને ચર્ચા કરાઈ હતી.

સૌથી મહત્વપૂર્ણ નિર્ણય તરીકે એક હાઈ-પાવર કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટીમાં કેન્દ્ર સરકારના એક અને રાજ્ય સરકારના ત્રણ મંત્રીઓ ઉપરાંત પાલિકાકલેક્ટરસિંચાઈવન વિભાગ સહિતના તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓનો સમાવેશ થશે.