સુરત : સજ્જુ કોઠારી ગેંગનો મુખ્ય સાગરીત મુંબઈ એરપોર્ટ પરથી ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો...

ઓર્ગેનાઈઝ ક્રાઈમ આચરતી ગેંગ મોહમ્મદ સાજીદ ઉર્ફે સજ્જુ કોઠારી ગેંગના એક મહત્વના સાગરીત ગુલામ હુસેન હૈદર અલી ભોજાણીને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મુંબઈ એરપોર્ટ પરથી દબોચી લીધો

New Update
  • સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ટીમને મળી મોટી સફળતા

  • ઓર્ગેનાઈઝ ક્રાઈમ આચરતી ગેંગનો થયો છે પર્દાફાશ

  • સજ્જુ કોઠારી ગેંગનો મુખ્ય સાગરિત આખરે ઝડપાયો

  • 3 વર્ષથી ફરાર શખ્સને મુંબઈ એરપોર્ટ પરથી દબોચ્યો

  • ક્રાઇમ બ્રાન્ચ પોલીસની આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી

Advertisment

સુરત શહેરમાં ઓર્ગેનાઈઝ ક્રાઈમ આચરતી ગેંગ મોહમ્મદ સાજીદ ઉર્ફે સજ્જુ કોઠારી ગેંગના એક મહત્વના સાગરીત ગુલામ હુસેન હૈદર અલી ભોજાણીને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મુંબઈ એરપોર્ટ પરથી દબોચી લીધો હતો.

સુરત શહેરમાં ઓર્ગેનાઈઝ ક્રાઈમ આચરતી ગેંગ મોહમ્મદ સાજીદ ઉર્ફે સજ્જુ કોઠારી ગેંગના એક મહત્વનો સાગરીત ગુલામ હુસેન હૈદર અલી ભોજાણી છેલ્લા 3 વર્ષથી પોલીસ ચોપડે ફરાર હતો. ગુજસીટોક હેઠળ આરોપી મોહમ્મદ સાજીદ ઉર્ફે સજ્જુ કોઠારી વિરુદ્ધ ફરીવાર ગુનો નોંધાતાગુલામ હુસેન ભોજાણી દિલ્હી મારફતે દેશ છોડીને ઈરાન ચાલ્યો ગયો હતોત્યાંથી તે અલગ-અલગ દેશોમાં પોતાનું અસ્તિત્વ ગુપ્ત રાખીને પોલીસની નજરોથી બચતો રહ્યો.

આ તરફસુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ છેલ્લા 3 વર્ષથી ગુલામ હુસેન ભોજાણી પર નજર રાખી રહી હતી. આ દરમ્યાન માહિતી મળી કેઆરોપી દુબઈથી સ્પાઈસજેટ મારફતે મુંબઈ એરપોર્ટ પર આવી રહ્યો છે. જેના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મુંબઈ એરપોર્ટ ઓથોરિટીના સહયોગથી વોચ ગોઠવી હતીત્યારે આરોપી નજરે પડતાં જ તેને દબોચી લેવામાં આવ્યો હતો.

સજ્જુ કોઠારી અને તેની ગેંગ સુરત શહેરમાં ખંડણીઉઘરાણીદાદાગીરી અને રીઅલ એસ્ટેટ ઠગાઈ જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલી છે. સુરતના અઠવા પોલીસ મથકમાં વર્ષ 2022માં સજ્જુ કોઠારી વિરુદ્ધ ગુજસીટોક અને ખંડણીના કેસો નોંધાયા હતાજેના કારણે તે અને તેની ટોળકી પોલીસના રડાર પર હતી.

Advertisment
Read the Next Article

સુરત: ફરી એક મોડલનું ગ્લેમર વર્લ્ડને અલવિદા, ફાંસો ખાઇ આયખું ટૂંકાવ્યું

23 વર્ષીય અંજલિ વરમોરાએ પંખા સાથે દુપટ્ટો બાંધીને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બાદ પોલીસે તપાસ શરુ કરી છે. અગાઉ પણ સુરતમાં એક મોડેલે આપઘાત કર્યો હતો

New Update
model suicide

સુરતમાં વધુ એક મોડેલે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. આ ઘટનામાં માનસિક તણાવ હોવાનું પ્રકાશમાં આવ્યુ છે. 23 વર્ષીય અંજલિ વરમોરાએ પંખા સાથે દુપટ્ટો બાંધીને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બાદ પોલીસે તપાસ શરુ કરી છે. અગાઉ પણ સુરતમાં એક મોડેલે આપઘાત કર્યો હતો. જે સમગ્ર મામલે પોલીસે તપાસ માટે પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા. આપઘાતના વધી રહેલા કેસ પોલીસ માટે પડકાર બની રહ્યા છે. 

model suicide  Case

23 વર્ષીય યુવતીએ પોતાના મોત માટે માનસિક તણાવનું કારણ જવાબદાર ઠેરવ્યુ છે. ત્યારે તેના મોત માટે માનસિક તણાવ જ કારણભૂત છે. કે પછી અન્ય કોઇ દિશામાં સંકેત કરવામાં આવી રહ્યો છે. આ યુવતીએ પંખે દુપટ્ટે લટકાવી ફાંસો ખાધો છે. ત્યારે હાલ પોલીસે પ્રાથમિક તપાસ શરુ કરી છે.