સુરત : અમરોલી કોસાડ આવાસમાં યુવકની હત્યાથી ચકચાર,પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ

અમરોલી કોસાડ આવાસમાં ત્રણ માથાભારે ઈસમોએ એક યુવકની હત્યા કરી નાખી હતી,યુવકની પત્નીનો મોબાઈલ નંબર માંગીને હત્યારાઓએ પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો

New Update
  • કોસાડમાં યુવકની હત્યાથી ચકચાર

  • ત્રણ માથાભારે ઈસમોએ હત્યાને આપ્યો અંજામ

  • પત્નીનો મોબાઈલ નંબર માંગીને કરતા હતા સતામણી

  • પતિએ ઠપકો આપતા મોતને ઘાટ ઉતારી દીધો

  • પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ 

સુરતના અમરોલી કોસાડ આવાસમાં ત્રણ માથાભારે ઈસમોએ એક યુવકની હત્યા કરી નાખી હતી,યુવકની પત્નીનો મોબાઈલ નંબર માંગીને હત્યારાઓએ પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો.સર્જાયેલી ઘટનામાં પોલીસે ત્રણ હત્યારાઓની ધરપકડ કરી હતી.

સુરતના અમરોલી કોસાડ આવાસમાં ત્રણ માથાભારે ઈસમો દ્વારા એક યુવકને હેરાન કરવામાં આવ્યો હતો,અને યુવક પાસે તેની પત્નીનો મોબાઈલ નંબર માંગીને સતામણી કરતા હતા.જોકે આ બાબતે યુવકે પડકાર કરતા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.અને ઉગ્ર બોલાચાલી બાદ યુવકની હત્યા કરીને ત્રણેય હત્યારાઓ ફરાર થઈ ગયા હતા.

ઘટના અંગે અમરોલી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.અને પોલીસે મુક્તસીદ,સાહિલ અને ફારૂક નામના આરોપીઓની ધરપકડ કરી હતી.પોલીસે ધરપકડ કરેલા આરોપીઓ માથાભારે હોવાની છાપ ધરાવતા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.

Read the Next Article

સુરત : રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાય...

21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

New Update
  • સરસાણા ડોમ ખાતે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી

  • રાજ્યના વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ

  • જિલ્લાકક્ષાની ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

  • સાંસદધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

  • આજરોજ અંદાજે 4.50 લાખથી નાગરિકો યોગમય બન્યા 

સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત 11મા વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજે તા. 21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાકક્ષાની ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાતની થીમ પર કેન્દ્રિત રહી હતીજેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.

આ ઉજવણીમાં શહેરની સામાજિક સંસ્થાઓશાળા-કોલેજના વિદ્યાર્થીઓઅને પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સુરત જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો યોગમય બન્યા હતા. આ વિશાળ જનભાગીદારી યોગ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાની ઈચ્છા દર્શાવે છે.

સામૂહિક યોગાભ્યાસ દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ ફેલાવવામાં આવ્યોજે એક પૃથ્વી એક શ્વાસના વૈશ્વિક સંદેશને મૂર્તિમંત કરે છે. સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમ સુરતના નાગરિકોની એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલધારાસભ્યોકલેકટરપાલિકા કમિશ્નરપોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.