સુરત : ઉધનામાં રૂ. 4.72 કરોડના ખર્ચે તૈયાર નવીન ડેપો-વર્કશોપનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત શહેરના ઉધના ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ. 4.72 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ નવીન અધ્યતન સુવિધા સાથેના ડેપો અને વર્કશોપનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનું આયોજન

એસટી બસના મુસાફરોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો

ઉધનામાં રૂ. 4.72 કરોડના ખર્ચે ડેપો અને વર્કશોપ તૈયાર

નવીન ડેપો અને વર્કશોપનું ગૃહ રાજ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

વધુ 20 નવી હાઇટેક વોલ્વો બસની ફાળવણી : હર્ષ સંઘવી

સુરત શહેરના ઉધના ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ. 4.72 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ નવીન અધ્યતન સુવિધા સાથેના ડેપો અને વર્કશોપનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ. 4.72 કરોડના ખર્ચે સુરત શહેરના ઉધના વિસ્તારમાં અધ્યતન સુવિધા સાથેના ડેપો અને વર્કશોપનું લોકાર્પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. એસટી વર્કશોપમાં ટાયર રૂમમિકેનિકલ રેસ્ટરૂમબેટરી રૂમઓઇલ રૂમસ્ટોર રૂમજેન્સ તેમજ લેડીસ ટોયલેટલોંગ સર્વિસ પીટવોટર રૂમઇલેક્ટ્રીક રૂમડેપો મેનેજર ઓફિસ2 રેકોર્ડરૂમએડમીન ઓફિસ સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કેનવા વર્કશોપની એસટીના સૌ પરિવારને શુભકામના સાથે એસટીના કર્મચારીઓએ સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ સાથે જ આપણે આપણાં વાહનનું પૂજન કરતા હોઈએ છીએતે જ રીતે એસટી બસનું પૂજન કરવા ડ્રાઇવરોને અપીલ કરી હતી. ઉપરાંત મુસાફરોની સંખ્યા ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત 25 લાખ સુધી પહોંચી છેઅને હવે આગામી દિવસોમાં આ સંખ્યા 30 લાખને પાર થવી જોઈએ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કેમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગરથી ગુજરાતના નાગરિકો માટે 20 નવી હાઇટેક વોલ્વો બસની શરૂઆત કરવામાં આવી છે. જેમાં 8 બસ સુરતને8 બસ રાજકોટને અને 4 બસ વડોદરાને ફાળવવામાં આવી છે. આવનારા દિવસોમાં પણ 80 જેટલી અદ્યતન વોલ્વો બસ ગુજરાતના લોકો માટે રસ્તા પર દોડાવવામાં આવશે. આ પ્રસંગે સુરતના સાંસદ મુકેશ દલાલઉધનાના ધારાસભ્ય મનુ ફોગવાશહેર ભાજપ અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરામેયર દક્ષેશ માવાણીકલેકટર ડો. સૌરભ પારધીસુરત એસટી ડિવિઝનલ પી.વી.ગુર્જર તેમજ એસટી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

સુરતના ઇતિહાસની પ્રથમ ઘટના..! : કારની અડફેટે શ્વાનને કચડી મારનાર અજાણ્યા કારચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય...

સુરતના અડાજણ વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

New Update
  • અડાજણ વિસ્તારમાં એક કાર ચાલક બન્યો બેફામ

  • કારની અડફેટમાં લેતા શ્વાનનું ઘટનાસ્થળે જ મોત

  • બનાવના પગલે આસપાસથી લોકોના ટોળાં એકત્ર

  • એક જાગૃત નાગરિકે અડાજણ પોલીસને જાણ કરી

  • અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કારની અડફેટે શ્વાનનું મોત નિપજતા પોલીસ મથકે ફરિયાદ નોંધાય હોવાનો સુરતમાંથી પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજીવન સૃષ્ટિમાં દરેકને જીવવાનો અધિકાર છે. તેવામાં સુરતમાંથી મૂંગા પશુઓ પર થયેલ અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક રખડતા શ્વાન પર કાર ચલાવી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હતું. અડાજણ વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવના પગલે આસપાસના લોકો ભેગા થયા હતાજ્યાં એક જાગૃત નાગરિક દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પંચનામું કરી મૃત શ્વાનને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી પશુ ચિકિત્શાલય ખસેડ્યું હતું. આ સાથે જ અડાજણ પોલીસે આ બાબતે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.