સુરત : સરથાણા સ્થિત પાલિકા વાંચનાલયની દુર્દશા,વિદ્યાર્થીઓ તૂટેલી ખુરશીઓને પગલે નીચે બેસીને વાંચવા બન્યા મજબુર

સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત વાંચનાલયમાં આવતા વિદ્યાર્થીઓ સહિત વાંચન પ્રેમીઓ અસુવિધાઓને કારણે હાલાકી વેઠી રહ્યા છે. 53 ખુરશીમાંથી 30 તૂટેલી હાલતમાં.

New Update

વિદ્યાર્થીઓ નીચે બેસીને કરે છે વાંચન, પાણીની સુવિધા માટે પણ ઉઠી માંગ  

Advertisment W3.CSS

સુરત શહેરના સરથાણા વાંચનાલય દુર્દશા તરફ આગળ વધી રહ્યુ હોવાનું જાણવા મળ્યું છે, હાલમાં આ લાઇબ્રેરીમાં 53 ખુરશીમાંથી 30 તૂટેલી હાલતમાં છે, જેના કારણે વિદ્યાર્થીઓ નીચે બેસીને વાંચવા માટે મજબૂર બન્યા છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત વાંચનાલયમાં આવતા વિદ્યાર્થીઓ સહિત વાંચન પ્રેમીઓ અસુવિધાઓને કારણે હાલાકી વેઠી રહ્યા છે.વિકસિત શહેરની આ લાઈબ્રેરીમાં ખુરશીઓ પણ તૂટેલી હાલતમાં હોવાના કારણે વિદ્યાર્થીઓ નીચે બેસીને વાંચવા માટે મજબૂર બન્યા છે.

જાણવા મળ્યા મુજબ લાઇબ્રેરીમાં 50થી વધુ ખુરશી છે,પરંતુ તેમાંથી 30 તૂટેલી અવસ્થામાં હોવાનું જાણવા મળ્યું છે,જ્યારે પીવા માટે મીઠા પાણીની સગવડ અને તાપમાં તપતા ધાબા પર ફ્લોરિંગ કરવા માટેની માંગ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે.

મહાનગરપાલિકા દ્વારા વાંચનાલયની સુવિધા માટે દાખવવામાં આવતી ઉદાસીનતા દૂર થાય અને વિદ્યાર્થીઓ તેમજ વાંચન પ્રેમીઓ સુંદર વાતાવરણમાં અને વ્યવસ્થામાં વાંચન કરી શકે તેવી ઈચ્છા  પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Read the Next Article

સુરત : પત્નીએ સમયસર જમવાનું નહીં બનાવતા પતિનો આપઘાત,બે ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

સુરતના વેસુ વિસ્તારમાં રહેતા યુવાન દંપતીનો પરિવાર ખંડિત થયો છે.25 વર્ષીય વિજય બારીયા અને તેની પત્ની વચ્ચે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થયો હતો.

New Update
  • વેસુમાં ત્રણ સંતાનોના પિતાનો આપઘાત

  • પત્ની સાથે બોલાચાલી બાદ અંતિમ પગલું

  • પતિ પત્ની વચ્ચે રસોઈ બાબતે થયો હતો ઝઘડો

  • સામાન્ય બાબતમાં પતિએ કર્યો આપઘાત

  • ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

Advertisment W3.CSS

સુરતના વેસુ વિસ્તારમાં દંપતી વચ્ચેની સામાન્ય બોલાચાલીએ પરિવારને વિખેરી નાખ્યો હતો,જમવાનું બનાવવાની બાબતે થયેલા ઝઘડામાં પતિએ ગળે ફાંસો ખાઈને જીવનલીલા સંકેલી નાખતા બે દીકરીઓ અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.

સુરતના વેસુ વિસ્તારમાં રહેતા યુવાન દંપતીનો પરિવાર ખંડિત થયો છે.25 વર્ષીય વિજય બારીયા અને તેની પત્ની વચ્ચે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થયો હતો.જોકે આ બાબતથી આઘાત લાગતા વિજય બારીયાએ ઘરમાં બીજા રૂમમાં જઈને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.બનાવની જાણ થતા જ અલથાણ પોલીસનો કાફલો દોડી આવીને વિજય બારીયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે વિજય બારીયાના આપઘાતને પગલે બે દીકરીઓ અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.