સુરત : સરથાણા સ્થિત પાલિકા વાંચનાલયની દુર્દશા,વિદ્યાર્થીઓ તૂટેલી ખુરશીઓને પગલે નીચે બેસીને વાંચવા બન્યા મજબુર

સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત વાંચનાલયમાં આવતા વિદ્યાર્થીઓ સહિત વાંચન પ્રેમીઓ અસુવિધાઓને કારણે હાલાકી વેઠી રહ્યા છે. 53 ખુરશીમાંથી 30 તૂટેલી હાલતમાં.

New Update

વિદ્યાર્થીઓ નીચે બેસીને કરે છે વાંચન, પાણીની સુવિધા માટે પણ ઉઠી માંગ  

સુરત શહેરના સરથાણા વાંચનાલય દુર્દશા તરફ આગળ વધી રહ્યુ હોવાનું જાણવા મળ્યું છે, હાલમાં આ લાઇબ્રેરીમાં 53 ખુરશીમાંથી 30 તૂટેલી હાલતમાં છે, જેના કારણે વિદ્યાર્થીઓ નીચે બેસીને વાંચવા માટે મજબૂર બન્યા છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત વાંચનાલયમાં આવતા વિદ્યાર્થીઓ સહિત વાંચન પ્રેમીઓ અસુવિધાઓને કારણે હાલાકી વેઠી રહ્યા છે.વિકસિત શહેરની આ લાઈબ્રેરીમાં ખુરશીઓ પણ તૂટેલી હાલતમાં હોવાના કારણે વિદ્યાર્થીઓ નીચે બેસીને વાંચવા માટે મજબૂર બન્યા છે.

જાણવા મળ્યા મુજબ લાઇબ્રેરીમાં 50થી વધુ ખુરશી છે,પરંતુ તેમાંથી 30 તૂટેલી અવસ્થામાં હોવાનું જાણવા મળ્યું છે,જ્યારે પીવા માટે મીઠા પાણીની સગવડ અને તાપમાં તપતા ધાબા પર ફ્લોરિંગ કરવા માટેની માંગ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે.

મહાનગરપાલિકા દ્વારા વાંચનાલયની સુવિધા માટે દાખવવામાં આવતી ઉદાસીનતા દૂર થાય અને વિદ્યાર્થીઓ તેમજ વાંચન પ્રેમીઓ સુંદર વાતાવરણમાં અને વ્યવસ્થામાં વાંચન કરી શકે તેવી ઈચ્છા  પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Read the Next Article

સુરત : એવરેસ્ટ અને મેગીના ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કારખાનું ઝડપાયું,પોલીસે માલિક સહિત પાંચની કરી ધરપકડ

સુરતના ઉધનામાં એક મકાનમાં બ્રાન્ડના નામે ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું,જે કારખાના પર પોલીસે રેડ કરીને બનાવટી મસાલાનો પર્દાફાશ કર્યો હતો.

New Update
  • ઉધનામાં ભેળસેળ યુક્ત મસાલાનો મામલો

  • એવરેસ્ટ અને મેગીના બનાવતા હતા મસાલા

  • પોલીસે દરોડા પાડીને કારખાનયુ ઝડપી લીધું

  • માલિક સહિત પાંચ લોકોની ધરપકડ

  • પોલીસે 21.74 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

સુરતના ઉધનામાં એક મકાનમાં બ્રાન્ડના નામે ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું,જે કારખાના પર પોલીસે રેડ કરીને બનાવટી મસાલાનો પર્દાફાશ કર્યો હતો.અને કારખાનાના માલિક સહિત પાંચ લોકોની ધરપકડ કરીને રૂપિયા 24.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જ્યારે આ ઘટનામાં એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

સુરતના ઉધના વિસ્તારમાં એક મકાનમાં ભેજાબાજો દ્વારા એવરેસ્ટ અને મેગીના ભેળસેળ યુક્ત મસાલા બનાવવામાં આવી રહ્યો હતો.જે અંગેની જાણ સુરત ઝોન 2 પોલીસને થતા પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા.પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા જ કારખાનામાં કામ કરતા કામદારો અને માલિકમાં ફફડાટ વ્યાપી ગયો હતો.પોલીસે કારખાનામાં મસાલા પેકિંગનું કામ કરતા વિનોદ રાજેન્દ્ર દાસકેલુ મુર્મ,વિનોદ પુના દાસસુરેન્દ્રકુમાર દાસ અને કારખાનાના માલિક સુનિલ સોનીને પોલીસે ઝડપી પાડ્યા હતા.અને પોલીસે 24 લાખ 71 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તેમજ કારખાનાના અન્ય માલિક અનિલ ગોહેલને વોન્ટેડ જાહેર કર્યો હતો.પોલીસે ભેળસેળ યુક્ત મસાલાના કૌભાંડના પર્દાફાશ બાદ આ મસાલાના પેકેટ ક્યાં અને કેટલા લોકોને વેચવામાં આવ્યો છે,તે અંગેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.