સુરત: પરિવારજનોની હત્યા કરનાર સ્મિતના ફોનમાંથી ટ્રેડિંગ એપ્લિકેશન મળી, ક્રિપ્ટો કરન્સીમાં દેવાળુ ફુંક્યું હોવાની શંકા

સુરતના સરથાણામાં પત્ની અને પુત્રની કુર હત્યા કર્યા બાદ નાટકબાજ સ્મિતના ફોનમાંથી ટ્રેડિંગ એપ્લિકેશન મળી છે

New Update
  • સ્મિતના ફોનમાંથી મળી ટ્રેડિંગ એપ્લિકેશન

  • નાટકબાજ હત્યારાનો હોસ્પિટલનો વીડિયો

  • ક્રિપ્ટો કરન્સીમાં દેવાળુ ફુંક્યું હોવાની શંકા

  • માતાની હાલત ગંભીર હોવાથી સારવાર હેઠળ

સુરતના સરથાણામાં પત્ની અને પુત્રની કુર હત્યા કર્યા બાદ નાટકબાજ સ્મિતના ફોનમાંથી ટ્રેડિંગ એપ્લિકેશન મળી છે,સાથે જ ક્રિપ્ટો કરન્સીમાં પણ રોકાણ કરતો હોવાથી તેમાં દેવાળું ફૂંક્યું હોવાની શકયતાના આધારે પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

સુરતના સરથાણામાં પત્ની અને પુત્રની કુર હત્યા કર્યા બાદ માતા-પિતા ઉપર પણ ઘાતકી હુમલો કરી પોતાના ગળા સહિત શરીરના અલગ-અલગ ભાગે ચપ્પુના ઘા મારી આપઘાતનો પ્રયાસ કરનાર સ્મિત જીયાણીના ફોનમાં શેર બજાર સહિતની ટ્રેડિંગ એપ્લિકેશન મળી આવી છે. આ સાથે ક્રિપ્ટો કરન્સીમાં પણ રોકાણ કરતો હોવાથી તેમાં દેવાળું ફૂંક્યું હોવાની શકયતાના આધારે પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.  સ્મિતની સારવાર કરનાર ડોક્ટરના મત મુજબ સ્મિતની તબિયત સારી છે પરંતુ જ્યારે પોલીસ તેની પૂછપરછ માટે પહોંચે એટલે ગળામાં દુખે છે, બોલાનું નથી, આંખ બરાબર ખુલતી નથી એમ કહી તપાસમાં સહકાર આપવાને બદલે ગોળ-ગોળ ફેરવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકરણમાં પિતા લાભુભાઈની તબિયત સુધારા ઉપર છે જયારે તેના માતાની હાલ હાલત ગંભીર છે અને આઇસીયુમાં સારવાર ચાલી રહી છે.

Read the Next Article

સુરત : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાત્વના પાઠવી...

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી.

New Update
  • અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત

  • રાંદેર વિસ્તારમાં રહેતા ડોક્ટર દંપતીનું પણ ઘટનામાં મોત

  • મૃતકના પરિવારને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પાઠવી સાત્વના

  • ડો. હિતેશ શાહે ઘણા વર્ષો સુધી લોકસેવા કરી : હર્ષ સંઘવી

  • મૃતકના પરિવારને શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરી

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી.

ગત તા. 12મી જૂન-2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુરત શહેર અને જિલ્લામાં રહેતા 14 જેટલા લોકોમાંથી અત્યાર સુધીમાં 9 લોકોના DNA મેચ થઇ ગયા બાદ રાંદેર ખાતે રહેતા મૃતક ડોક્ટર દંપતી ડો. હિતેશ શાહ અને પત્ની અમિતા શાહના મૃતદેહ સુરત લવાયા હતા. ત્યારબાદ પરિવારજનો દ્વારા ડોક્ટર દંપતીના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતાત્યારે આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીવન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને સુરત શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ રાંદેર ખાતે મૃતક ડોક્ટર દંપતીના નિવાસ્થાને તેમના પરિવારને મળવા પહોંચ્યા હતાજ્યાં શાહ પરિવારના સભ્યોને સાત્વના પાઠવવામાં આવી હતી.

હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કેસુરતમાં ગરીબોના મસીહા તરીકે ઓળખાતા ડોક્ટર હિતેશ શાહએ ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં લોકોની સેવા કરી છે. તેઓ ખૂબ સારા સર્જન હતાઅને તે પોતાના ધર્મપત્ની સાથે અમદાવાદથી યુકે તેમની બહેનને મળવા જતા હતાઅને પ્લેન ક્રેશની દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું છે. આ દુખદ ઘટનામાં ભગવાન મૃતક ડોક્ટર દંપતીના પરિવારને શક્તિ આપે તેવી પણ હર્ષ સંઘવીએ પ્રાર્થના કરી હતી.