સચિનના પાલી ગામમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી થવાની દુર્ઘટના, 7 ના મોત

સુરત શહેરના સચિન વિસ્તારના પાલી ગામમાં ગતરોજ 5 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં 7 લોકોના કાટમાળ નીચે દબાય જવાથી મોત નીપજ્યાં હતા.

New Update

સુરત શહેરના સચિન વિસ્તારના પાલી ગામમાં ગતરોજ5માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં7લોકોના કાટમાળ નીચે દબાય જવાથી મોત નીપજ્યાં હતા.

સુરત શહેરના સચિન વિસ્તારના પાલીગામમાં આવેલી 5 માળની બિલ્ડિંગ ગત તા. 6 જુલાઈની બપોરે અઢી વાગ્યાના અરસામાં ધરાશાયી થઈ હતી. આ બિલ્ડિંગ ધરાશાયી થતાં ભૂકંપ આવ્યો હોય તેવો સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. આ દરમિયાન ધરાશાયી બિલ્ડિંગના કાટમાળમાં કેટલાક લોકો ફસાતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ગણતરીની મિનિટોમાં રેસક્યું ઓપરેશન હાથ ધરાયું હતું. ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ સચિન પોલીસ સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

વર્ષ 2017માં બનેલું બિલ્ડિંગ 2024માં જ તૂટી પડ્યું હતુંત્યારે જિલ્લા કલેક્ટરપોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળે દોડી ગયા હતા. કાટમાળ નીચે લોકો ફસાયાની આશંકા રાખીને લાઈવ ડિટેક્ટરથી સર્ચ કરાયું હતું. જેમાં કાટમાળ નીચે કેમેરો નાખીને શોધખોળ કરતા મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ વધુ લોકો અંદર હોવાની શંકાએ તંત્રએ રેસક્યુંની કામગીરી તેજ કરી હતી. આ બિલ્ડિંગ જર્જરીત હોવા છતાં 6 મકાન ભાડે આપી દેવાયા હતા. બિલ્ડિંગમાં 5થી 7 પરિવાર રહેતા હતા. દુર્ઘટના બાદ રેસક્યું  ટીમ દ્વારા કશિશ શર્મા નામની મહિલાને જીવિત બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતીજ્યારે રેસક્યું ટીમને અન્ય 7 લોકોમાં હીરામડી કેવટઅભિષેકવ્રજેશ ગોડશિવપૂજન કેવટઅનમોલ ચમારપરવેજ કેવટ અને લાલજી કેવટ નામના વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા હતા. તો બીજી તરફપોલીસે બિલ્ડિંગના માલિક રાજ કાકડિયાસહિત બિલ્ડર પરિવાર સામે ગુનો દાખલ કર્યો છેજ્યારે બિલ્ડિંગની દેખરેખ રાખનાર અશ્વિન વેકરિયા વિરુદ્ધ પણ ગુનો નોંધી સમગ્ર મામલાની તપાસને વધુ તેજ કરી છે.

Read the Next Article

સુરત : સંતાનોની ફી સહાય મેળવવા રત્નકલાકાર સહાય પેકેજ યોજના, 300 સ્કૂલમાં 65 હજાર ફોર્મ ભરાયા...

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા

New Update
  • રત્ન કલાકારો માટે સહાય યોજનાની પ્રક્રિયા પૂર્ણ

  • 55 હજારથી વધુ રત્ન કલાકારોએ ભર્યા હતા ફોર્મ

  • પોતાના બાળકોની ફી માટે ફોર્મ ભરવામાં આવ્યા

  • વિદ્યાર્થી દીઠ રૂ. 13,500 ચૂકવવા સરકારનો નિર્ણય

  • તમામ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવાયા

સુરત શહેર તથા જિલ્લામાં રત્નકલાકારોના સંતાનોની ફી ભરવા માટે રાજ્ય સરકારે જાહેર કરેલી સહાય યોજનામાં 300 સ્કૂલના 55 હજારથી વધુ રત્નકલાકારોએ 65 હજાર ફોર્મ ભર્યાં છે. હવે ડાયમંડ એસોસિએશનમાંથી ભલામણ પત્રો મેળવ્યા બાદ ફોર્મની સ્ક્રુટિની કરી ચકાસણી કરવામાં આવશે.

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી રત્કલાકારોને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં જે રત્નકલાકારોની 31 માર્ચ-2024 પહેલાં ડાયમંડ ઉદ્યોગમાંથી નોકરી છૂટી ગઈ હોય તેમના સંતાનોની એક વર્ષની મહત્તમ 13,500 રૂપિયા ફી ચૂકવવા માટે સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી હતી.

તા. 23 જુલાઇ સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતોત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ફોર્મ સહિતની કામગીરી કરવામાં આવી હતીજેમાં શહેરની અંદાજે 300 સ્કૂલના 55 હજાર રત્નકલાકારોએ સંતાનોની ફી ભરવા માટે 65 હજાર ફોર્મ ભર્યાં હતા. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી હવે ફોર્મ સ્વિકારાશે નહીં. રોજગાર છૂટી ગયો હોય તેવા રત્નકલાકારોને વહેલી તકે આર્થિક સહાય મળે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અપેક્ષા કરતાં વધારે ફોર્મ ભરાયાં છેજેને લઈને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવશે. ત્યારબાદ જેમ જેમ સ્ક્રૂટિની થતી જશે તેમ તેમ સહાયની રકમ આપવામાં આવશે. તો બીજી તરફતમામ ફોર્મમાં ભલામણ પત્ર મેળવવા હવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ફોર્મને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલશે. જેના માટે ઉદ્યોગ કેન્દ્ર ડાયમંડ એસોસિએશનને સ્ટાફ પણ ફાળવી આપશે. જે ડાયમંડ ફેક્ટરીમાંથી રત્નકલાકારની નોકરી છૂટી હોય તે કંપનીમાં કર્મચારી કામ કરતા હતા કેનહીં તેની ખરાઈ કર્યા બાદ ડાયમંડ એસોસિએશન ભલામણ પત્ર આપશે તેવું ડાયમંડ વર્કર યુનિયન તરફથી જાણવા મળ્યું છે.