સચિનના પાલી ગામમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી થવાની દુર્ઘટના, 7 ના મોત

સુરત શહેરના સચિન વિસ્તારના પાલી ગામમાં ગતરોજ 5 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં 7 લોકોના કાટમાળ નીચે દબાય જવાથી મોત નીપજ્યાં હતા.

New Update

સુરત શહેરના સચિન વિસ્તારના પાલી ગામમાં ગતરોજ5માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં7લોકોના કાટમાળ નીચે દબાય જવાથી મોત નીપજ્યાં હતા.

સુરત શહેરના સચિન વિસ્તારના પાલીગામમાં આવેલી 5 માળની બિલ્ડિંગ ગત તા. 6 જુલાઈની બપોરે અઢી વાગ્યાના અરસામાં ધરાશાયી થઈ હતી. આ બિલ્ડિંગ ધરાશાયી થતાં ભૂકંપ આવ્યો હોય તેવો સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. આ દરમિયાન ધરાશાયી બિલ્ડિંગના કાટમાળમાં કેટલાક લોકો ફસાતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ગણતરીની મિનિટોમાં રેસક્યું ઓપરેશન હાથ ધરાયું હતું. ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ સચિન પોલીસ સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

વર્ષ 2017માં બનેલું બિલ્ડિંગ 2024માં જ તૂટી પડ્યું હતુંત્યારે જિલ્લા કલેક્ટરપોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળે દોડી ગયા હતા. કાટમાળ નીચે લોકો ફસાયાની આશંકા રાખીને લાઈવ ડિટેક્ટરથી સર્ચ કરાયું હતું. જેમાં કાટમાળ નીચે કેમેરો નાખીને શોધખોળ કરતા મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ વધુ લોકો અંદર હોવાની શંકાએ તંત્રએ રેસક્યુંની કામગીરી તેજ કરી હતી. આ બિલ્ડિંગ જર્જરીત હોવા છતાં 6 મકાન ભાડે આપી દેવાયા હતા. બિલ્ડિંગમાં 5થી 7 પરિવાર રહેતા હતા. દુર્ઘટના બાદ રેસક્યું  ટીમ દ્વારા કશિશ શર્મા નામની મહિલાને જીવિત બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતીજ્યારે રેસક્યું ટીમને અન્ય 7 લોકોમાં હીરામડી કેવટઅભિષેકવ્રજેશ ગોડશિવપૂજન કેવટઅનમોલ ચમારપરવેજ કેવટ અને લાલજી કેવટ નામના વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા હતા. તો બીજી તરફપોલીસે બિલ્ડિંગના માલિક રાજ કાકડિયાસહિત બિલ્ડર પરિવાર સામે ગુનો દાખલ કર્યો છેજ્યારે બિલ્ડિંગની દેખરેખ રાખનાર અશ્વિન વેકરિયા વિરુદ્ધ પણ ગુનો નોંધી સમગ્ર મામલાની તપાસને વધુ તેજ કરી છે.

Read the Next Article

સુરત : ખાડીપૂરની સમસ્યાના હલ માટેની કવાયત,કાયમી નિરાકરણ માટે હાઈ પાવર કમિટીની કરાશે રચના

સુરતમાં છેલ્લા 7 વર્ષથી ખાડીપૂરને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને છેલ્લા બે વર્ષમાં ખાડીપૂરમાં 6 લોકોના મોત પણ થયા છે. તાજેતરમાં જ ખાડીપુરે સર્જી હતી તારાજી

New Update
  • ખાડીપૂરની સમસ્યાથી લોકો છે પરેશાન

  • તાજેતરમાં જ ખાડીપુરે સર્જી હતી તારાજી

  • ખાડીપૂરની સમસ્યાના નિરાકરણ માટે કવાયત

  • કેન્દ્રીય મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક

  • હાઈ પાવર કમિટીની કરવામાં આવશે રચના  

સુરત અને આસપાસના વિસ્તારોમાં ખાડીપૂરની વર્ષો જૂની સમસ્યાના કાયમી ઉકેલ માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની સૂચનાથી એક હાઈ-પાવર કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના નિષ્ણાતો અને ટેકનિકલ ટીમોના સહયોગથી કામ કરશે.

સુરતમાં છેલ્લા 7 વર્ષથી ખાડીપૂરને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને છેલ્લા બે વર્ષમાં ખાડીપૂરમાં 6 લોકોના મોત પણ થયા છે. આ ગંભીર સમસ્યાના નિવારણ માટે સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીપાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલ અને આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ,સાંસદ પ્રભુ વસાવાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠક અંદાજે અઢી કલાક ચાલી હતી અને ખાડીપૂરના કાયમી નિરાકરણ માટે આ પ્રકારની બેઠક પ્રથમવાર યોજાઇ હતી.

બેઠકમાં અધિકારીઓ દ્વારા તમામ ખાડીઓની ભૌગોલિક સ્થિતિનું મેપ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન મંત્રીઓને આપવામાં આવ્યું હતું. શહેરમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ભરાતા પાણી અને ખાડીપૂરના કાયમી નિરાકરણ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી.ખાડી ડાયવર્ઝન અને ડ્રેજિંગ જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકીને ચર્ચા કરાઈ હતી.

સૌથી મહત્વપૂર્ણ નિર્ણય તરીકે એક હાઈ-પાવર કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટીમાં કેન્દ્ર સરકારના એક અને રાજ્ય સરકારના ત્રણ મંત્રીઓ ઉપરાંત પાલિકાકલેક્ટરસિંચાઈવન વિભાગ સહિતના તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓનો સમાવેશ થશે.