સુરત: આજથી 25 રૂપિયામાં ફરો આખું શહેર ! મુસાફરોએ માન્યો પાલિકાનો આભાર

સુરત મહાનગર પાલિકાની મહત્વની યોજના, માત્ર 25 રૂ.ની ટિકિટ ખરીદી કરી શકાશે મુસાફરી,સીટી બસ અને BRTSની બસમાં યોજના લાગુ

New Update
સુરત: આજથી 25 રૂપિયામાં ફરો આખું શહેર ! મુસાફરોએ માન્યો પાલિકાનો આભાર

સુરત મહાનગર પાલિકા દ્વારા મુસાફરોની સુવિધા માટે મહત્વની યોજના શરૂ કરવામાં આવી છે. સુમન પ્રવાસ ટિકિટ સુવિધા અંતર્ગત સિટી અને બીઆરટીએસ બસની માત્ર 25 રૂપિયાની ટિકિટ ખરીદી આખો દિવસ મુસાફરી કરી શકાય એ પ્રકારની યોજના શરૂ કરવામાં આવી છે.

સુરત મહાનગર પાલિકા દ્વારા સીટીલીંક લિંકના નેજા હેઠળ શહેરમાં 13 રૂટ પર બીઆરટીએસ અને 45 રૂટ પર સીટી બસ સેવા ચલાવવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ અને રોજીંદા પ્રવાસીઓ માટે આમ તો મંથલી પાસ રૂપે મનપા દ્વારા સુરત મની કાર્ડ વર્ષોથી ચલાવવામાં આવે જ છે પરંતુ હવે મનપા દ્વારા આજથી 21 જુલાઈ 2022થી સુમન પ્રવાસ ટીકીટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. સિટીલિંકની બોર્ડની બેઠકમાં શહેરીજનોના હિત માટે આ અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે.સુરત મહાનગરપાલિકાની સીટી બસ અને બીઆરટીએસ બસ સેવાનો રોજનો 2.30 લાખ જેટલા લોકો મુસાફરીનો લાભ લે છે. જોકે હજી પણ મોટી સંખ્યામાં સુરતીઓ આ બસ સેવાનો લાભ લે અને માસ ટ્રાન્સપોર્ટેશનનો મહત્તમ ઉપયોગ થાય તે હેતુથી મહાનગરપાલિકા અને સીટી લિંક દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

આજે સવારે મેયર હેમાલી બોઘાવાળા સહિતના પદાધિકારોએ બસ સ્ટોપની મુલાકાત લઈને મુસાફરોને આ બાબતથી માહિતગાર કર્યા હતા એટલું જ નહીં તેઓએ મુસાફરોના બીજા સૂચનો પણ જાણવાના પ્રયત્નો કર્યા હતા. તેઓએ મુસાફરોને માહિતી આપી હતી કે હવે માત્ર 25 રૂપિયામાં એક જ ટિકિટ ખરીદીને ગમે તેટલી વખત આખા દિવસમાં આખા શહેરની મુસાફરી અનલિમિટેડ કરી શકાય છે. મુસાફરોએ પણ આજે મહાનગરપાલિકાની આ સેવાને વધાવી લીધી હતી.

Read the Next Article

સુરત : યુવક-યુવતીના કોર્ટ મેરેજની અદાવતમાં દિન’દહાડે માતાનું અપહરણ કરનાર 7 લોકોની ધરપકડ, પોલીસે કર્યું ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન

એક યુવતીને ભગાડી જનાર યુવકની માતાનું દિનદહાડે અપહરણ કરવામાં આવ્યું કેર એન્ડ ક્યોર હોસ્પિટલ ખાતેથી બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું હતું...

New Update
  • શહેરના પાલ વિસ્તારમાંથી સામે છે આવી ચોંકાવનારી ઘટના

  • પુત્રના પ્રેમસંબંધમાં યુવતીના પરિવારે માતાનું અપહરણ કર્યું

  • હોસ્પિટલ નજીકથી 25 શખસ ખેંચી ગયા, CCTV સામે આવ્યા

  • 7 લોકોની ધરપકડરિ-કન્સ્ટ્રક્શન સમયે આરોપી રડી પડ્યો

  • યુવક-યુવતીના કોર્ટ મેરેજની અદાવત બની અપહરણનું કારણ 

સુરત શહેરના પાલ વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પુત્રના પ્રેમસંબંધમાં યુવતીના પરિવારે માતાનું અપહરણ કર્યું હતું. CCTV ફૂટેજના આધારે પોલીસે 7 લોકોની ધરપકડ કરી સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું.

સુરત શહેરના પાલ વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક યુવતીને ભગાડી જનાર યુવકની માતાનું દિનદહાડે અપહરણ કરવામાં આવ્યું હતું. ગત તા. 10 જૂન-2025ના રોજ સવારે આશરે 11:30 કલાકે પાલ ગૌરવ પથ રોડ પર આવેલી કેર એન્ડ ક્યોર હોસ્પિટલ ખાતે અપહરણની ઘટના બની હતી. સુમિત્રા રાયાણીજે આ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છેતેમનું અંદાજે 25 જેટલા પુરુષો અને મહિલાઓની ટોળકી દ્વારા બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું હતું.

જોકેસામે આવેલા CCTV ફૂટેજમાં જોવા મળે છે કેઆ ટોળકી હોસ્પિટલ પરિસરમાં ધસી આવી હતી. તેમણે સુમિત્રા રાયાણીને ધક્કામુક્કી કરીનેશારીરિક હુમલો કરીને બળજબરીપૂર્વક એક કારમાં બેસાડી દીધા અને રાંદેર તરફ લઈ ગયા હતા. રાંદેર પહોંચ્યા બાદ જાહેરમાં સુમિત્રા રાયાણીને ખૂબ માર મારવામાં આવ્યો હતો. આ ઘટના પાછળનું મુખ્ય કારણ પ્રેમ સંબંધ અને કોર્ટ મેરેજ હોવાનું બહાર આવ્યું છે. રાંદેર રોડ પરની હેતલ નગર સોસાયટીમાં રહેતા 44 વર્ષીય આશાબેન ધનેશભાઈ મકવાણાએ પાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદ મુજબતેમની બહેન સુમિત્રા રાયાણીના દીકરા અનિકેત ગત 1 જૂન2024ના રોજ અંબિકા નગરમાં રહેતી નૈના જગદીશ ઓડ નામની યુવતી સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. ત્યારબાદ ગત તા. 28 મે-2025ના રોજ અનિકેત અને નૈના રાંદેર પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતાઅને સાથે રહેવા માટે નિવેદનો નોંધાવ્યા હતા.

આ વાતની અદાવત રાખીને નૈનાના પરિવારે આ જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો બીજી તરફઅપહરણ કરનાર 7 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. જે મામલે પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. જેમાં એક આરોપી રડી પડ્યો હોવાનું પણ સામે આવ્યું છે. પાલ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છેજ્યારે અન્ય ફરાર આરોપીઓને પણ વહેલી તકે ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.