સુરત : બેકાબૂ પિકઅપ વાને ડિવાઈડર કુદાવી બાઈકચાલકોને ફંગોળ્યા, દંપતિ સહિત 4 લોકોના મોત

નવી પારડી જતી પિકઅપ વાનનું ટાયર ફાટી જતાં પિકઅપે ડિવાઈડર કુદાવી સામેથી આવતી 2 બાઈક અને રાહદારીને અડફેટે લેતાં એક મહિલા સહિત 4 વ્યક્તિના મોત

New Update
સુરત : બેકાબૂ પિકઅપ વાને ડિવાઈડર કુદાવી બાઈકચાલકોને ફંગોળ્યા, દંપતિ સહિત 4 લોકોના મોત

સુરતમાં વેલંજાથી નવી પારડી જતી પિકઅપ વાનનું ટાયર ફાટી જતાં પિકઅપે ડિવાઈડર કુદાવી સામેથી આવતી 2 બાઈક અને રાહદારીને અડફેટે લેતાં એક મહિલા સહિત 4 વ્યક્તિના મોત નીપજ્યા હતા.

સુરતના કામરેજના અંત્રોલી ગામની હદમાં હનુમાન દાદાના મંદિર પાસે વેલંજા- નવી પારડી રોડ ઉપર ગત રવિવારે રાત્રે વેલંજાથી આવતી પિકઅપ વાન નં. RJ-19-GF-8840નું ટાયર અચાનક ફાટી ગયું હતું, ત્યારે પિકઅપ વાન ડિવાઈડર કુદાવી સામેના ટ્રેક પરથી આવતા મૂળ ભાવનગરના બાઇક સવાર દંપતી વિપુલ ગોહિલ અને ગીતા ગોહિલ તેમજ અન્ય બાઇક ઉપર સવાર 20 વર્ષીય અજય એરડા અને 30 વર્ષીય ભાવેશ ભરડા સહિત એક રાહદારી વૃદ્ધને અડફેટે લીધા હતા. જેમાં દંપતી સહિત 4 વ્યક્તિના મોત નીપજ્યા હતા, જ્યારે ભાવેશ ભરડાને ઈજા થતાં સારવાર અર્થે ખોલવડની દીનબંધુ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઘટનામાં પિકઅપ ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. અકસ્માત થતાં જ અંત્રોલીના ગ્રામજનો સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં મૃતક દંપતી રજાની મજા માણવા ગયા હતા, જ્યાંથી પરત ફરતી વેળા તેઓને કાળ ભરખી ગયો હતો, ત્યારે હાલ તો આ અકસ્માતની ઘટનામાં 4 લોકોના મોત નિપજતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

સુરત: પાલમાં પરિણીત યુવકનો ગળે ફાંસો ખાઈને આપઘાત,પત્ની અને પ્રેમીના ત્રાસથી પગલું ભર્યું હોવાનો પરિવારનો આક્ષેપ

આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે..

author-image
By Connect Gujarat Desk
New Update
  • પાલમાં 26 વર્ષીય યુવકનો આપઘાતનો મામલો

  • યુવક રેડીમેડ કાપડની દુકાનમાં કરતો હતો કામ 

  • યુવકની પત્ની અને તેનો પ્રેમી શંકાના દાયરામાં 

  • પરિવારજનોના પત્ની અને પ્રેમી પર ગંભીર આરોપ 

  • પોલીસે પરિવારજનોના આક્ષેપ બાદ શરૂ કરી તપાસ 

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય પરિણીત  યુવક દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.મૃતકના પરિવારજનો દ્વારા દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમીએ મળીને તેને ટોર્ચર કર્યો અને અંતે મોત તરફ દોરી ગયા હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે.

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય દીક્ષિત ચૌહાણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે આ સમગ્ર ઘટનામાં મૃતક યુવકના પરિવારજનોએ દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને પત્ની સહિત સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

દીક્ષિત ચૌહાણ રેડીમેડ કાપડની દુકાનમાં નોકરી કરતો હતો અને તેના ઘરનું ગુજરાન ચલાવતો હતો. જોકેતેની પત્ની દિવ્યા સાથે તેના અવારનવાર ઝઘડા થતા હતા અને ઝઘડામાં દિવ્યા વારંવાર પતિને માર મારતી હતી,અને મારી નાખવાની ધમકી પણ આપતી હતી. આસપાસના લોકો પણ તે બાબતે જાણતા હતા અને તેમના વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. રાત્રે પત્ની દિવ્યા દ્વારા માર માર્યા બાદ સવારે દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ ઘટનાની જાણ થયા બાદ પાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છેજેમાં મૃતકના પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા છે. તેમજ તેની પત્ની અને તેના પ્રેમી અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.