સુરત: પઠાણ ફિલ્મ સામે હિન્દુ સંગઠનોનો અનોખો વિરોધ, જુઓ ગરીબોને કેમ કરવામાં આવ્યું રાશનની કીટનું વિતરણ

હિન્દુ સંગઠનોના યુવાનોએ પઠાણ ફિલ્મ ન જોવાનું નક્કી કરી ટિકિટના રૂપિયાથી રાશનની કીટ તૈયાર કરી તેનું ગરીબોમા વિતરણ કર્યું હતું

New Update
સુરત: પઠાણ ફિલ્મ સામે હિન્દુ સંગઠનોનો અનોખો વિરોધ, જુઓ ગરીબોને કેમ કરવામાં આવ્યું રાશનની કીટનું વિતરણ

સુરતના કામરેજ તાલુકામાં હિંદુ સંગઠનો દ્વારા પઠાણ ફિલ્મનો અનોખી રીતે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. હિન્દુ સંગઠનોના યુવાનોએ પઠાણ ફિલ્મ ન જોવાનું નક્કી કરી ટિકિટના રૂપિયાથી રાશનની કીટ તૈયાર કરી તેનું ગરીબોમા વિતરણ કર્યું હતું

વિશ્વભરમાં શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ પઠાણ રીલીઝ થઈ છે જો કે ઠેર ઠેર આ ફિલ્મ બાબતે વિરોધ નોંધાવવામાં આવી રહયો છે જે અંતર્ગત સુરતના કામરેજમાં હિન્દુ સંગઠનોના આગેવાનો દ્વારા પઠાણ ફિલ્મનો અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. હિન્દુ સંગઠનોના યુવાનોએ ફિલ્મની ટિકિટના રૂપિયાથી રાશનની કીટ તૈયારી કરી હતી અને તેનું ગરીબોમાં વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં વિશ્વહિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા

Read the Next Article

સુરત : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાત્વના પાઠવી...

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી.

New Update
  • અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત

  • રાંદેર વિસ્તારમાં રહેતા ડોક્ટર દંપતીનું પણ ઘટનામાં મોત

  • મૃતકના પરિવારને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પાઠવી સાત્વના

  • ડો. હિતેશ શાહે ઘણા વર્ષો સુધી લોકસેવા કરી : હર્ષ સંઘવી

  • મૃતકના પરિવારને શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરી

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી.

ગત તા. 12મી જૂન-2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુરત શહેર અને જિલ્લામાં રહેતા 14 જેટલા લોકોમાંથી અત્યાર સુધીમાં 9 લોકોના DNA મેચ થઇ ગયા બાદ રાંદેર ખાતે રહેતા મૃતક ડોક્ટર દંપતી ડો. હિતેશ શાહ અને પત્ની અમિતા શાહના મૃતદેહ સુરત લવાયા હતા. ત્યારબાદ પરિવારજનો દ્વારા ડોક્ટર દંપતીના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતાત્યારે આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીવન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને સુરત શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ રાંદેર ખાતે મૃતક ડોક્ટર દંપતીના નિવાસ્થાને તેમના પરિવારને મળવા પહોંચ્યા હતાજ્યાં શાહ પરિવારના સભ્યોને સાત્વના પાઠવવામાં આવી હતી.

હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કેસુરતમાં ગરીબોના મસીહા તરીકે ઓળખાતા ડોક્ટર હિતેશ શાહએ ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં લોકોની સેવા કરી છે. તેઓ ખૂબ સારા સર્જન હતાઅને તે પોતાના ધર્મપત્ની સાથે અમદાવાદથી યુકે તેમની બહેનને મળવા જતા હતાઅને પ્લેન ક્રેશની દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું છે. આ દુખદ ઘટનામાં ભગવાન મૃતક ડોક્ટર દંપતીના પરિવારને શક્તિ આપે તેવી પણ હર્ષ સંઘવીએ પ્રાર્થના કરી હતી.