સુરત: વરસાદી સીઝનના પગલે વાયરલ ફીવરના કેસોની સંખ્યામાં વધારો

New Update
સુરત: વરસાદી સીઝનના પગલે વાયરલ ફીવરના કેસોની સંખ્યામાં વધારો

સુરતમાં વરસાદી સીઝનના પગલે ખાનગી, સરકારી અને પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં હાલ વાયરલ ફીવરના કેસોની સંખ્યામાં વધારો થયો છે. વાયરલ ફીવરના કારણે હોસ્પિટલો દર્દીઓની સંખ્યાથી ઉભરાઈ રહી છે.

સુરત સહિત સમગ્ર રાજ્યમાં હાલ વરસાદી ઋતુ ચાલી રહી છે. પરંતુ સુરતમાં મેઘરાજાની છૂટી છવાઈ ઇનિંગના પગલે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી વાયરલ ફીવરના કેસો સામે આવી રહ્યા છે. જેમાં સુરતની મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ, સુરત નવી સિવિલ હોસ્પિટલ અને શહેરની ખાનગી હોસ્પિટલો ઉપરાંત ક્લિનિકમાં ડેન્ગ્યુ, મેલેરિયા સહિત વાયરલ ફીવરના કેસો વધુ આવી રહ્યા છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો અહીં સરેરાશ 50 જેટલા કેસ વાયરલ ફીવરના આવી રહ્યા છે. જેના કારણે શરદી, ખાંસી, તાવ સહિતની ફરિયાદવાળા દર્દીઓની સંખ્યા વધી છે. નવી સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગમાં વાયરલ ફીવર સારવાર માટે આવતા લોકોની લાંબી કતાર જોવા મળી રહી છે. તેવી જ રીતે સ્મીમેર હોસ્પિટલમાં પણ પ્રતિદિવસ વાઇરલ ફિવરના કેસોની સંખ્યામાં વધારો થયો છે. વરસાદી માહોલના કારણે વાતાવરણમાં આવેલા પલટાને લઈ આ સમસ્યા ઉદ્દભવી હોવાનું કારણ તબીબો આપી રહ્યા છે. જો કે સમયસર સારવાર અને આરામ મળી રહે તો વાયરલ ફીવર સામે જલ્દીથી જલ્દી સાજા પણ થઈ શકાય છે.

Read the Next Article

સુરત : શ્રીજીની મૂર્તિઓની આંગળીઓ તોડી નાખતા મૂર્તિકાર ચિંતાગ્રસ્ત, ખટોદરા પોલીસે શરૂ કરી તપાસ

અજાણ્યા શખ્સો દ્વારા લગભગ 15થી 20 શ્રીજીની મૂર્તિઓની આંગળીઓ ખંડિત કરવામાં આવી છે. આ ઘટનાથી મૂર્તિકાર શોકમાં ગરકાવ થઈ ગયા છે અને તેમનો 4 મહિનાનો પરિશ્રમ નિષ્ફળ નિવડ્યો

New Update
  • મૂર્તિકારના ત્યાં મૂર્તિઓ ખંડિત કરવાનો મામલો

  • 10થી 15મૂર્તિઓ ખંડિત થતા મૂર્તિકાર વ્યથિત

  • ગણેશજીની મૂર્તિઓની આંગળીઓને નુકસાન

  • 4 મહિનાની મહેનતથી તૈયાર કરાઈ હતી મૂર્તિ

  • ખટોદરા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી તપાસ

સુરત શહેરના યુનિક હોસ્પિટલ નજીક આવેલા રામજીભાઈ મૂર્તિવાળા પાસે એક અતિ દુઃખદ ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સો દ્વારા લગભગ 15થી 20 શ્રીજીની મૂર્તિઓની આંગળીઓ ખંડિત કરવામાં આવી છે. આ ઘટનાથી મૂર્તિકાર શોકમાં ગરકાવ થઈ ગયા છે અને તેમનો 4 મહિનાનો પરિશ્રમ નિષ્ફળ જતા ખૂબ જ વ્યથિત થઈ ગયા હતા. સમગ્ર મામલે ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે.

સુરત શહેરના યુનિક હોસ્પિટલ નજીક આવેલા રામજી મૂર્તિવાડા પાસે લગભગ 150થી વધુ ગણપતિની પ્રતિમાઓ બનાવવામાં આવી રહી છે. મૂર્તિકાર દ્વારા છેલ્લા 4 મહિનાથી અથાક મહેનત કરી આ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી હતી. જોકેઆરોપ છે કે અજાણ્યા લોકોએ આ 15થી 20 પ્રતિમાઓની આંગળીઓ ખંડિત કરી નાખી હતી. આ કૃત્ય પાછળ કોનો હાથ છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

મૂર્તિકારનું કહેવું છે કેતેઓ જમવા માટે ગયા હતા તે દરમિયાન આ કૃત્ય કરવામાં આવ્યું છે. તેમને આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે મૂર્તિઓ જોવા માટે કેટલાક લોકો આવ્યા અને તેમની નજર ખંડિત થયેલી મૂર્તિઓ પર પડી. આ જોતા જ મૂર્તિકાર ભાંગી પડ્યા અને રડતા-રડતા પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

સૌથી મહત્વની વાત એ છે કેજેટલી પણ પ્રતિમાઓ છે તેમાંથી માત્ર શ્રીજીની પ્રતિમાઓની જ આંગળીઓ ખંડિત કરવામાં આવી છેઅન્ય કોઈ જગ્યાએ પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી. આ સમગ્ર મામલાની જાણ થતા જ ખટોદરા પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે.