સુરત : પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચકતા મનપા તંત્ર સજ્જ, મચ્છર ઉત્પત્તિના સ્થાન મળતા 9 હજાર લોકોને નોટીસ પકડાવી...

શહેર-જીલ્લામાં પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું, રોગચાળા સામે મનપાનું આરોગ્ય વિભાગ સજ્જ બન્યું. આરોગ્ય વિભાગ દ્વારા ઠેર ઠેર સર્વે હાથ ધરવામાં આવ્યો, વિવિધ વિસ્તારોમાંથી મચ્છરની ઉત્પત્તિના સ્થાન મળ્યા, મનપા દ્વારા 9 હજાર લોકોને નોટીસ આપવામાં આવી.

New Update

સુરત શહેર તથા જીલ્લામાં પાણીજન્ય રોગચાળાએ માથું ઊચકતા મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે. ઠેર ઠેર સર્વે હાથ ધરી મચ્છરના ઉદ્ભવ સ્થાન મળ્યા હોય તેવા 9 હજાર લોકોને નોટીસ આપવામાં આવી છે.

સુરત શહેર તથા જીલ્લામાં રોગચાળો વકરતાં સુરત નવી સિવિલમાં દાખલ દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ખરેખર હાલમાં હોસ્પિટલની પરિસ્થિતિ એવી છે કેવોર્ડની બહાર બેડ મુકીને દર્દીઓને સારવાર આપવાની નોબત આવી પડી છે. વરસાદ વચ્ચે તડકો આવતાં ડેન્ગ્યુના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં સુરતમાં ચોમાસાની ઋતુમાં રોગચાળાના ભરડામાં 2 લોકોના જીવન હોમાઈ ગયા છે. હાલ સપ્ટેમ્બર મહિનામાં સુરતમાં મેલેરિયાના 85 કેસ49 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે.

 મનપા દ્વારા ગત મહિનામાં અનેક વિસ્તારમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાંથી 66 હજાર મકાનોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાન મળ્યા હતા. આ સ્તહે જ 39 લાખ મકાનોમાં છેલ્લા 2 મહિનામાં સર્વે થયો હોવાનું પાલિકા તંત્રએ જણાવ્યુ હતું. આ સર્વેમાં 16 હજાર તાવના કેસ સામે આવ્યા હતાજ્યારે 868 આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છેજ્યાં મચ્છરના ઉદ્ભવ સ્થાન મળ્યા હોય તેવા 9 હજાર લોકોને નોટીસ આપવામાં આવી છે. હાલ લોક પ્રતિનીધીના સંપર્કમાં રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે કેદરેક લોક પ્રતિનિધિને તેમના વિસ્તારમાં કોઈ ફરિયાદ છે કેનહીં તે બાબતે પૂછવામાં આવશે.

Read the Next Article

સુરત : પાંડેસરામાં ધોરણ 9ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરતો પરિચિત યુવક,પોલીસે કરી આરોપીની ધરપકડ

સુરતના પાંડેસરા વિસ્તારમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે તેના પાડોશમાં રહેતા યુવકે જ દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ હતી,અને આ અંગે પોલીસે ફરિયાદ દર્જ કરીને નરાધમ યુવકની ધરપકડ કરી હતી. 

New Update
  • પાંડેસરામાં વધુ એક દુષ્કર્મની ઘટના

  • ધો.9માં અભ્યાસ કરતી દીકરી બની દુષ્કર્મનો ભોગ

  • ઘરેથી બુક લેવા નીકળેલી દીકરી સાથે દુષ્કર્મ 

  • પાડોશમાં રહેતા યુવકે જ આચર્યું દુષ્કર્મ

  • પોલીસે નરાધમ યુવકની કરી ધરપકડ

સુરતના પાંડેસરા વિસ્તારમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે તેના પાડોશમાં રહેતા યુવકે જ દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ હતી,અને આ અંગે પોલીસે ફરિયાદ દર્જ કરીને નરાધમ યુવકની ધરપકડ કરી હતી. 

સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી સગીર બાળા કે જે ધોરણ 9માં અભ્યાસ કરે છે,જોકે વિદ્યાર્થીની ઘરેથી બુક લેવા માટે નીકળી હતી,ત્યારે તેના પાડોશમાં રહેતા યુવકે બદઇરાદા પૂર્વક સગીરાને પોતાની બાઈક પર બેસાડીને અવાવરુ જગ્યામાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું,અને બાદમાં સગીરાને ગુપ્ત ભાગે લોહી નીકળતા તેને ગંભીર હાલતમાં કૈલાશ ચોકડી પાસે મૂકીને ફરાર થઈ ગયો હતો.જોકે યુવતી ઘરે પહોંચતા તેના લોહીથી લથપથ કપડા જોતા પરિવારજનોને કંઈક અજુગતું બન્યું હોવાની શંકા ગઈ હતી.અને પરિવારજનો દીકરીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતા ઘટના અંગેની હકીકત બહાર આવી હતીઘટના અંગે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવવામાં આવી હતી,જે ફરિયાદને આધારે પોલીસે નરાધમ આરોપી હિમાંશુ યાદવની ધરપકડ કરી હતી.અને વધુ તપાસ શરૂ કરી હતી.