સુરત : વિકલાંગતાનો ફાયદો ઉઠાવી ગાંજાની હેરાફેરી કરતો યુવાનો ઝડપાયો, રૂ. 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં વિકલાંગતાનો ફાયદો ઉઠાવી ગાંજાની હેરાફેરી કરતાં યુવાનની પોલીસે ધરપકડ કરી છે.

New Update
  • કાપોદ્રા વિસ્તારમાંથી ગાંજાની હેરાફેરીનો થયો પર્દાફાશ

  • વિકલાંગતાનો ફાયદો ઉઠાવી યુવાન કરતો હતો હેરાફેરી

  • ગાંજાની હેરાફેરી કરતાં યુવાનની પોલીસે કરી ધરપકડ

  • પોલીસને 10 કિલોથી વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો

  • રૂ. 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવા સાથે કાર્યવાહી

Advertisment

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં વિકલાંગતાનો ફાયદો ઉઠાવી ગાંજાની હેરાફેરી કરતાં યુવાનની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી 10 કિલોથી વધુ ગાંજાનો જથ્થો મળી રૂ. 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

સુરત શહેરમાં એક યુવાને પોતાની વિકલાંગતાનો ફાયદો ઉઠાવી ગાંજો વહેંચવાનું શરૂ કર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ યુવાન કાપોદ્રા વિસ્તારના ભરવાડ ફળીયામાંથી ગાંજાની હેરાફેરી કરતો હતો. યુવાન પોતે વિકલાંગ હોવાથી કોઈને પણ શંકા ન જાય તે માટે સોસાયટીમાંથી ગાંજાની હેરાફેરી કરતો હતોત્યારે કાપોદ્રા પોલીસે બાતમીના આધારે વિકલાંગ કિશોર નામના યુવાનની ધરપકડ કરી હતી. પોલીસે યુવાન પાસેથી 10 કિલોથી વધુ ગાંજાનો જથ્થો મળી રૂ. 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતોત્યારે હાલ તો આ યુવાન ગાંજો ક્યાંથી લાવ્યો હતોઅને કોને આપવાનો હતોતે દિશામાં પોલીસે તપાસ હાથ છે.

 

Advertisment
Read the Next Article

સુરત : બે’રોજગાર રત્ન કલાકારોના બાળકોની 1 વર્ષની શિક્ષણ ફી રાજ્ય સરકાર ચૂકવશે : હર્ષ સંઘવી

રાજ્યમાં બેરોજગાર રત્ન કલાકારોના આપઘાતની ઘટના અને હીરા ઉદ્યોગમાં ચાલતી મંદીને ડામવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો બેરોજગાર રત્ન કલાકારો માટે સહાય પેકેજની જાહેરાત સરકારે કરી

New Update
  • બેરોજગાર રત્ન કલાકારો માટે સહાય પેકેજની જાહેરાત

  • રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોના બાળકો માટે નિર્ણય

  • રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિસ્તૃત માહિતી આપી

  • રત્ન કલાકારોના બાળકોની 1 વર્ષની શિક્ષણ ફી ચૂકવાશે

  • નાના ઉદ્યોગોને લોન પર 9% 3 વર્ષ સુધી વ્યાજ સહાય 

Advertisment

રાજ્યમાં બેરોજગાર રત્ન કલાકારોના આપઘાતની ઘટના અને હીરા ઉદ્યોગમાં ચાલતી મંદીને ડામવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છેત્યારે સુરત ખાતેથી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ યોજના અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

ડાયમંડ ઉદ્યોગના 50 વર્ષમાં છેલ્લાં 3 વર્ષથી સૌથી લાંબી મંદી ચાલી રહી છેજેને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગત તા. 11 માર્ચે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશના હોદ્દેદારો સાથે બેઠક યોજીને રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લેવાની જાહેરાત કરી હતી. આ મિટિંગના 74 દિવસ બાદ આખરે રાજ્ય સરકારે બેરોજગાર રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પેકેજની જાહેરાત કરતાં જણાવ્યું હતું કેરત્ન કલાકારના સંતાનની એક વર્ષની શિક્ષણ ફી વધુમાં વધુ 13,500 સુધીની માફ કરવામાં આવશે. આ ફી સરકાર DBT મારફત ટ્રાન્સફર કરશેજ્યારે નાના ઉદ્યોગોને 5 લાખની લોન પર 9%ની 3 વર્ષ સુધી વ્યાજ સહાય તથા વીજ ડ્યૂટીમાં એક વર્ષની રાહત અપાશે.

વધુમાં તેઓએ જણાવ્યુ હતું કેકોઈપણ રત્ન કલાકારોને નોકરી મેળવવા માટે અવ્યવસ્થા ન થાય તે માટેની સુવિધા ઉભી કરવામાં આવી છે તેજી-મંદી વેપારનો ભાગ છે. મંદી પણ દૂર થશેજ્યારે મંદી હોય ત્યારે રાજ્ય સરકારે રત્ન કલાકારોને રાહત આપવા આ નિર્ણય લીધો છે. જેમાં તા. 31 માર્ચ-2024 પછી કામ ન મળ્યું હોય તેમજ જેમને છુટા કર્યા હોય તેવા રત્ન કલાકારોને સરકારની સહાયનો લાભ મળશે.

Advertisment