સુરત ખાતે વિપ્ર ફાઉન્ડેશન ગુજરાત ઝોન 15નો શપથ ગ્રહણ તેમજ અભિનંદન સમારોહ યોજાયો

વિપ્ર ફાઉન્ડેશન ગુજરાત ઝોન 15ના પ્રદેશ અધ્યક્ષ તરીકે તોલારામજી સારસ્વત અને પ્રદેશના ઉપપ્રમુખ તરીકે બજરંગ રાજપુરોહિતની વરણી કરવામાં આવી હતી..

New Update
  • વિપ્ર ફાઉન્ડેશનના ગુજરાત ઝોન 15નો યોજાયો કાર્યક્રમ

  • શપથ ગ્રહણ તેમજ અભિનંદનનો કાર્યક્રમ યોજાયો

  • વિવિધ સેવાકીય ક્ષેત્રે કાર્યરત છે વિપ્ર ફાઉન્ડેશન

  • ગુજરાત પ્રદેશ પ્રમુખ,ઉપપ્રમુખ,મીડિયા પ્રભારીની કરાઈ વરણી

  • પ્રદેશ યુવા પ્રમુખ અને યુવા ઉપપ્રમુખની પણ કરાઈ નિમણુંક

 સુરતના શ્રી કૃષ્ણા ક્લાસીસ પ્રોજેક્ટ ખાતે વિપ્ર ફાઉન્ડેશન ગુજરાત ઝોન 15નો શપથ તેમજ અભિનંદન સમારોહ યોજાયો હતો,આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ,ઉપ પ્રમુખ,યુવા પ્રમુખ ઉપપ્રમુખ   તેમજ પ્રદેશ મીડિયા પ્રભારી સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.

સુરતના શ્રી કૃષ્ણા ક્લાસીસ પ્રોજેક્ટ ખાતે શિક્ષણ,આરોગ્ય સહિતના વિવિધ સામાજિક ક્ષેત્રે સેવાકીય કાર્ય કરતા વિપ્ર ફાઉન્ડેશન ગુજરાત ઝોન 15નો તારીખ 25મી જાન્યુઆરીના રોજ સાંજના સમયે શપથ તેમજ અભિનંદન સમારોહ યોજાયો હતો.આ પ્રસંગે વિપ્ર ફાઉન્ડેશન ગુજરાત ઝોન 15ના પ્રદેશ અધ્યક્ષ તરીકે તોલારામજી સારસ્વત અને પ્રદેશના ઉપપ્રમુખ તરીકે બજરંગ રાજપુરોહિતની વરણી કરવામાં આવી હતી. વધુમાં સમાચાર જગત સાથે જોડાયેલા યુવા પત્રકાર અને વિપ્ર ફાઉન્ડેશન ભરૂચ જિલ્લાના પ્રમુખ યોગેશ પારિકને ગુજરાતના મીડિયા પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.

ગુજરાત રાજ્ય પ્રમુખ યુવા સેલ ગિરધારીસિંહ રાજપુરોહિતગુજરાત રાજ્ય ઉપપ્રમુખ યુવા સેલ સંદીપ શર્માએ શપથ લીધા હતામહિલા સેલના રાજ્ય પ્રમુખ શ્રીમતી બબીતા વ્યાસ અને રાષ્ટ્રીય કારોબારીમાં અંકલેશ્વરના અર્જુન રાજપુરોહિત અને કે.આર.જોશીએ કારોબારી સભ્યો તરીકે અને તુલસી રાજપુરોહિતે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે તેમજ સંગઠનના પદાધિકારીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. 

આ સમારોહમાં વિપ્ર ફાઉન્ડેશનના રાષ્ટ્રીય સંયોજક અને બ્રાહ્મણ સમાજના પ્રેરણા સુશીલ ઓઝા અને ધૂનગઢના ધારાસભ્ય શ્રીવતારચંદ સારસ્વતજીની હાજરીમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતોજેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી બ્રાહ્મણ સમાજના લોકો અને કારોબારી સમિતિના સભ્યોએ ભાગ લીધો હતો. 

આ અવસર નિમિત્તે વિપ્ર ફાઉન્ડેશનના યુવક યુવતીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિ રજુ કરીને કાર્યક્રમની સોડમમાં સુગંધ ભરી દીધી હતી,અને મોટી સંખ્યામાં ઉપસ્થિત મહેમાનો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળીને મંત્રમુગ્ધ થઇ ગયા હતા.અને કાર્યક્રમના આયોજન બદલ વિપ્ર ફાઉન્ડેશનની સરાહના કરી હતી.

Read the Next Article

સુરત: પાલમાં પરિણીત યુવકનો ગળે ફાંસો ખાઈને આપઘાત,પત્ની અને પ્રેમીના ત્રાસથી પગલું ભર્યું હોવાનો પરિવારનો આક્ષેપ

આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે..

author-image
By Connect Gujarat Desk
New Update
  • પાલમાં 26 વર્ષીય યુવકનો આપઘાતનો મામલો

  • યુવક રેડીમેડ કાપડની દુકાનમાં કરતો હતો કામ 

  • યુવકની પત્ની અને તેનો પ્રેમી શંકાના દાયરામાં 

  • પરિવારજનોના પત્ની અને પ્રેમી પર ગંભીર આરોપ 

  • પોલીસે પરિવારજનોના આક્ષેપ બાદ શરૂ કરી તપાસ 

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય પરિણીત  યુવક દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.મૃતકના પરિવારજનો દ્વારા દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમીએ મળીને તેને ટોર્ચર કર્યો અને અંતે મોત તરફ દોરી ગયા હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે.

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય દીક્ષિત ચૌહાણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે આ સમગ્ર ઘટનામાં મૃતક યુવકના પરિવારજનોએ દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને પત્ની સહિત સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

દીક્ષિત ચૌહાણ રેડીમેડ કાપડની દુકાનમાં નોકરી કરતો હતો અને તેના ઘરનું ગુજરાન ચલાવતો હતો. જોકેતેની પત્ની દિવ્યા સાથે તેના અવારનવાર ઝઘડા થતા હતા અને ઝઘડામાં દિવ્યા વારંવાર પતિને માર મારતી હતી,અને મારી નાખવાની ધમકી પણ આપતી હતી. આસપાસના લોકો પણ તે બાબતે જાણતા હતા અને તેમના વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. રાત્રે પત્ની દિવ્યા દ્વારા માર માર્યા બાદ સવારે દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ ઘટનાની જાણ થયા બાદ પાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છેજેમાં મૃતકના પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા છે. તેમજ તેની પત્ની અને તેના પ્રેમી અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.