રાજ્યનો સૌથી લાંબો 502 મીટરનો અંડર પાસ સુરતમાં બનશે, એર કન્ડિશન ઓક્સિજનની પણ રહેશે સુવિધા...

રાજ્યમાં બ્રિજ સીટીના નામથી જાણીતા સુરત શહેરમાં ગુજરાતનો સૌથી લાંબો 502 મીટરનો અંડર પાસનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. આ અંડર પાસ ફેબ્રુઆરી 2025 સુધીમાં વાહન ચાલકો માટે બનીને તૈયાર થઈ જશે.

New Update
  • રાજ્યના સૌથી લાંબા અંડરપાસનું નિર્માણ કાર્ય હાથ ધરાયુ

  • રૂ. 60 કરોડના ખર્ચે બનશે 502 મીટર લાંબો અંડર પાસ

  • સ્માર્ટ અંડર પાસમાં ઓક્સિજનની પણ વિશેષ સુવિધા

  • અંડર પાસમાં વાહનચાલકોને નહીં થાય ગૂંગળામણની તકલીફ

  • અંદાજીત વર્ષ 2025 ફેબ્રુઆરી સુધી બની રહેશે અંડર પાસ

રાજ્યમાં બ્રિજ સીટીના નામથી જાણીતા સુરત શહેરમાં ગુજરાતનો સૌથી લાંબો 502 મીટરનો અંડર પાસનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. આ અંડર પાસ ફેબ્રુઆરી 2025 સુધીમાં વાહન ચાલકો માટે બનીને તૈયાર થઈ જશે.
સ્માર્ટ સીટી સુરતમાં હવે સ્માર્ટ અન્ડર પાસનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ અંડર પાસ સુરત જ નહીં પરંતુ ગુજરાતનો સૌથી લાંબો 502 મીટરનો અંડરપાસ બનવાનો છે. જેમાં ફાયર સુવિધા સહિત એર કન્ડિશન ઓક્સિજનની પણ સુવિધા રહેશે. જેથી અંડરપાસમાં જતા આવતા કોઈપણ વ્યક્તિને ગૂંગળામણ તકલીફ નહીં થાય. એટલું જ નહીં, અંડરપાસની અંદર ટ્રાફિક થાય, ત્યારે લોકોને ધુમાડાથી સફોગેશન પણ નહીં થાય તેવો સુવિધાજનક અંડર પાસ બનશે. અંડર પાસની અંદર હિટેડ વેન્ટિલેટર એરકન્ડિશનની સુવિધા લાગવાઈ રહી છે. રૂ. 60 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અંડર પાસ અંદાજીત ફેબ્રુઆરી 2025 સુધીમાં બનીને કાર્યરત થઈ જશે. જેમાં સુરતવાસીઓ સહિત અનેક વાહન ચાલકો આ અંડર પાસનો ઉપયોગ કરી શકશે.
Read the Next Article

સુરત : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાત્વના પાઠવી...

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી.

New Update
  • અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત

  • રાંદેર વિસ્તારમાં રહેતા ડોક્ટર દંપતીનું પણ ઘટનામાં મોત

  • મૃતકના પરિવારને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પાઠવી સાત્વના

  • ડો. હિતેશ શાહે ઘણા વર્ષો સુધી લોકસેવા કરી : હર્ષ સંઘવી

  • મૃતકના પરિવારને શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરી

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી.

ગત તા. 12મી જૂન-2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુરત શહેર અને જિલ્લામાં રહેતા 14 જેટલા લોકોમાંથી અત્યાર સુધીમાં 9 લોકોના DNA મેચ થઇ ગયા બાદ રાંદેર ખાતે રહેતા મૃતક ડોક્ટર દંપતી ડો. હિતેશ શાહ અને પત્ની અમિતા શાહના મૃતદેહ સુરત લવાયા હતા. ત્યારબાદ પરિવારજનો દ્વારા ડોક્ટર દંપતીના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતાત્યારે આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીવન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને સુરત શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ રાંદેર ખાતે મૃતક ડોક્ટર દંપતીના નિવાસ્થાને તેમના પરિવારને મળવા પહોંચ્યા હતાજ્યાં શાહ પરિવારના સભ્યોને સાત્વના પાઠવવામાં આવી હતી.

હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કેસુરતમાં ગરીબોના મસીહા તરીકે ઓળખાતા ડોક્ટર હિતેશ શાહએ ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં લોકોની સેવા કરી છે. તેઓ ખૂબ સારા સર્જન હતાઅને તે પોતાના ધર્મપત્ની સાથે અમદાવાદથી યુકે તેમની બહેનને મળવા જતા હતાઅને પ્લેન ક્રેશની દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું છે. આ દુખદ ઘટનામાં ભગવાન મૃતક ડોક્ટર દંપતીના પરિવારને શક્તિ આપે તેવી પણ હર્ષ સંઘવીએ પ્રાર્થના કરી હતી.