New Update
કતારગામ વિસ્તારમાં બ્રિજની કામગીરીમાં ઢીલાશ
છેલ્લા ઘણા સમયથી મંથર ગતિએ ચાલતી કામગીરી
લોકોને હેરાનગતિ તેમજ ટ્રાફિક જામની સર્જાતી સમસ્યા
લોકોનો રોષ પારખી ગયેલા શાસકો દોડતા થયા
કોન્ટ્રાક્ટરને સાથે રાખી મેયરે કર્યું સ્થળ નિરીક્ષણ
સ્માર્ટ સીટી કહેવાતા સુરતમાં વહીવટી તંત્ર જાણે સ્માર્ટ વર્ક કરતું ન હોય, તે આ દ્રશ્યો પરથી સાબિત થઈ રહ્યું છે. સુરત શહેરના કતારગામ વિસ્તાર સ્થિત ગજેરા સર્કલ નજીક નિર્માણાધિન બ્રીજની કામગીરી છેલ્લા ઘણા સમયથી મંથર ગતીએ ચાલી રહી છે. જરના પગલે મેયર સહિત સ્ટેડિંગ કમિટીના ચેરમેને કોન્ટ્રાકટરને સાથે રાખીને સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
જોકે, બ્રીજની 67 ટકા કામગીરી હાલ પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે 33 ટકા કામગીરી હજી પણ બાકી છે. જે કામગીરી આગામી ડિસેમ્બર માસ સુધીમાં પૂર્ણ કરવા તેમજ ચોમાસા દરમ્યાન પણ આ કામગીરી યથાવત રાખવા અંગે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં, ડિસેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ નહી કરે તો કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરવા મેયર દક્ષેશ માવાણીએ ચીમકી ઉચ્ચારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મંથર ગતીએ ચાલી રહેલી કામગીરીના પગલે અનેક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ સાથે જ ટ્રાફિક જામની સમસ્યાનો પણ સામનો કરવાનો વારો આવે છે.
Latest Stories