સુરત : કતારગામ વિસ્તારમાં મંથર ગતિએ ચાલતી બ્રિજની કામગીરી, લોકોના રોષનો ભોગ બનેલા શાસકો દોડતા થયા..!

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બ્રિજની મંથર ગતિએ ચાલતી કામગીરીના પગલે લોકોનો રોષ પારખી ગયેલા શાસકો દોડતા થયા કોન્ટ્રાક્ટરને સાથે રાખી મેયરે કર્યું સ્થળ નિરીક્ષણ

New Update
  • કતારગામ વિસ્તારમાં બ્રિજની કામગીરીમાં ઢીલાશ

  • છેલ્લા ઘણા સમયથી મંથર ગતિએ ચાલતી કામગીરી

  • લોકોને હેરાનગતિ તેમજ ટ્રાફિક જામની સર્જાતી સમસ્યા

  • લોકોનો રોષ પારખી ગયેલા શાસકો દોડતા થયા

  • કોન્ટ્રાક્ટરને સાથે રાખી મેયરે કર્યું સ્થળ નિરીક્ષણ

સ્માર્ટ સીટી કહેવાતા સુરતમાં વહીવટી તંત્ર જાણે સ્માર્ટ વર્ક કરતું ન હોય, તે આ દ્રશ્યો પરથી સાબિત થઈ રહ્યું છે. સુરત શહેરના કતારગામ વિસ્તાર સ્થિત ગજેરા સર્કલ નજીક નિર્માણાધિન બ્રીજની કામગીરી છેલ્લા ઘણા સમયથી મંથર ગતીએ ચાલી રહી છે. જરના પગલે મેયર સહિત સ્ટેડિંગ કમિટીના ચેરમેને કોન્ટ્રાકટરને સાથે રાખીને સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. 
જોકે, બ્રીજની 67 ટકા કામગીરી હાલ પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે 33 ટકા કામગીરી હજી પણ બાકી છે. જે કામગીરી આગામી ડિસેમ્બર માસ સુધીમાં પૂર્ણ કરવા તેમજ ચોમાસા દરમ્યાન પણ આ કામગીરી યથાવત રાખવા અંગે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં, ડિસેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ નહી કરે તો કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરવા મેયર દક્ષેશ માવાણીએ ચીમકી ઉચ્ચારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મંથર ગતીએ ચાલી રહેલી કામગીરીના પગલે અનેક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ સાથે જ ટ્રાફિક જામની સમસ્યાનો પણ સામનો કરવાનો વારો આવે છે.
Read the Next Article

સુરત : સંતાનોની ફી સહાય મેળવવા રત્નકલાકાર સહાય પેકેજ યોજના, 300 સ્કૂલમાં 65 હજાર ફોર્મ ભરાયા...

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા

New Update
  • રત્ન કલાકારો માટે સહાય યોજનાની પ્રક્રિયા પૂર્ણ

  • 55 હજારથી વધુ રત્ન કલાકારોએ ભર્યા હતા ફોર્મ

  • પોતાના બાળકોની ફી માટે ફોર્મ ભરવામાં આવ્યા

  • વિદ્યાર્થી દીઠ રૂ. 13,500 ચૂકવવા સરકારનો નિર્ણય

  • તમામ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવાયા

સુરત શહેર તથા જિલ્લામાં રત્નકલાકારોના સંતાનોની ફી ભરવા માટે રાજ્ય સરકારે જાહેર કરેલી સહાય યોજનામાં 300 સ્કૂલના 55 હજારથી વધુ રત્નકલાકારોએ 65 હજાર ફોર્મ ભર્યાં છે. હવે ડાયમંડ એસોસિએશનમાંથી ભલામણ પત્રો મેળવ્યા બાદ ફોર્મની સ્ક્રુટિની કરી ચકાસણી કરવામાં આવશે.

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી રત્કલાકારોને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં જે રત્નકલાકારોની 31 માર્ચ-2024 પહેલાં ડાયમંડ ઉદ્યોગમાંથી નોકરી છૂટી ગઈ હોય તેમના સંતાનોની એક વર્ષની મહત્તમ 13,500 રૂપિયા ફી ચૂકવવા માટે સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી હતી.

તા. 23 જુલાઇ સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતોત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ફોર્મ સહિતની કામગીરી કરવામાં આવી હતીજેમાં શહેરની અંદાજે 300 સ્કૂલના 55 હજાર રત્નકલાકારોએ સંતાનોની ફી ભરવા માટે 65 હજાર ફોર્મ ભર્યાં હતા. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી હવે ફોર્મ સ્વિકારાશે નહીં. રોજગાર છૂટી ગયો હોય તેવા રત્નકલાકારોને વહેલી તકે આર્થિક સહાય મળે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અપેક્ષા કરતાં વધારે ફોર્મ ભરાયાં છેજેને લઈને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવશે. ત્યારબાદ જેમ જેમ સ્ક્રૂટિની થતી જશે તેમ તેમ સહાયની રકમ આપવામાં આવશે. તો બીજી તરફતમામ ફોર્મમાં ભલામણ પત્ર મેળવવા હવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ફોર્મને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલશે. જેના માટે ઉદ્યોગ કેન્દ્ર ડાયમંડ એસોસિએશનને સ્ટાફ પણ ફાળવી આપશે. જે ડાયમંડ ફેક્ટરીમાંથી રત્નકલાકારની નોકરી છૂટી હોય તે કંપનીમાં કર્મચારી કામ કરતા હતા કેનહીં તેની ખરાઈ કર્યા બાદ ડાયમંડ એસોસિએશન ભલામણ પત્ર આપશે તેવું ડાયમંડ વર્કર યુનિયન તરફથી જાણવા મળ્યું છે.