વિપ્ર ફાઉન્ડેશન ઝોન 15,સુરત દ્વારા સપ્ત દિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમનું કરાયું આયોજન

વિપ્ર ફાઉન્ડેશન ઝોન 15,સુરત ગુજરાત દ્વારા ભગવાન શ્રી પરશુરામ પ્રાગટ્ય મહોત્સવ તથા બ્રહ્માવંશાવતાર શ્રી ખેતેશ્વર મહારાજનાં જન્મ કલ્યાણ મહોત્સવના ઉપલક્ષમાં સાત દિવસીય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

New Update
  • વિપ્ર ફાઉન્ડેશન ઝોન 15 સુરત દ્વારા આયોજન

  • વિવિધ ધાર્મિક અને સેવા કાર્યોનું આયોજન

  • શ્રી પરશુરામ જયંતીની ઉજવણી માટેનું આયોજન

  • શ્રી ખેતેશ્વર મહારાજનાં જન્મ કલ્યાણ મહોત્સવની પણ ઉજવણી

  • વૃદ્ધ આશ્રમમાં પણ સેવાકાર્યનું આયોજન

Advertisment

વિપ્ર ફાઉન્ડેશન ઝોન 15,સુરત ગુજરાત દ્વારા ભગવાન શ્રી પરશુરામ પ્રાગટ્ય મહોત્સવ તથા બ્રહ્માવંશાવતાર શ્રી ખેતેશ્વર મહારાજનાં જન્મ કલ્યાણ મહોત્સવના ઉપલક્ષમાં સાત દિવસીય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

વિપ્ર ફાઉન્ડેશન ઝોન 15,સુરત ગુજરાત દ્વારા ભગવાન શ્રી પરશુરામ પ્રાગટ્ય મહોત્સવ તથા બ્રહ્માવંશાવતાર શ્રી ખેતેશ્વર મહારાજનાં જન્મ કલ્યાણ મહોત્સવના ઉપલક્ષમાં સાત દિવસીય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ગત તારીખ 22મીએ શ્રી ખેતેશ્વર મહારાજની આરતી પૂજનનો ભક્તોએ લ્હાવો લીધો હતો,જ્યારે તારીખ 25મી એપ્રિલે ૐ નંદેશ્વર ગૌશાળામાં ગૌ પૂજન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત તારીખ 26મીએ બારડોલી ખાતેના શાંતિનાથ સેવા આશ્રમમાં નરસેવા નારાયણ સેવાના ઉદ્દેશ્યને સાકાર કરવામાં આવ્યો હતો.વધુમાં તારીખ 27મી એપ્રિલ રવિવારના રોજ સુરતના શ્રી બાબોસ મંદિર,ગોડાદરાથી શ્રી કૃષ્ણા ક્લાસીસ સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી.જેમાં વિપ્ર ફાઉન્ડેશન ઝોન 15,સુરત સહિતના હોદ્દેદારો,સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા.

જ્યારે સુરત ડીંડોલીના ઓલ્ડએજ હોમ વૃદ્ધાશ્રમમાં સેવાકાર્યની ધૂણી પણ ધખાવવામાં આવશે.આ ઉપરાંત તારીખ 29મી મંગળવારના રોજ ભગવાન શ્રી પરશુરામ જયંતી પ્રસંગે ટેક્સટાઇલ માર્કેટ સામે વિપ્ર ગૌરવ ભવન ખાતે સવારે ભગવાન શ્રી પરશુરામના પૂજન અર્ચન સાથે છાશ વિતરણના કાર્યક્રમનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું છે. 

Advertisment
Latest Stories