વિપ્ર ફાઉન્ડેશન ઝોન 15,સુરત દ્વારા સપ્ત દિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમનું કરાયું આયોજન

વિપ્ર ફાઉન્ડેશન ઝોન 15,સુરત ગુજરાત દ્વારા ભગવાન શ્રી પરશુરામ પ્રાગટ્ય મહોત્સવ તથા બ્રહ્માવંશાવતાર શ્રી ખેતેશ્વર મહારાજનાં જન્મ કલ્યાણ મહોત્સવના ઉપલક્ષમાં સાત દિવસીય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

New Update
  • વિપ્ર ફાઉન્ડેશન ઝોન 15 સુરત દ્વારા આયોજન

  • વિવિધ ધાર્મિક અને સેવા કાર્યોનું આયોજન

  • શ્રી પરશુરામ જયંતીની ઉજવણી માટેનું આયોજન

  • શ્રી ખેતેશ્વર મહારાજનાં જન્મ કલ્યાણ મહોત્સવની પણ ઉજવણી

  • વૃદ્ધ આશ્રમમાં પણ સેવાકાર્યનું આયોજન

વિપ્ર ફાઉન્ડેશન ઝોન 15,સુરત ગુજરાત દ્વારા ભગવાન શ્રી પરશુરામ પ્રાગટ્ય મહોત્સવ તથા બ્રહ્માવંશાવતાર શ્રી ખેતેશ્વર મહારાજનાં જન્મ કલ્યાણ મહોત્સવના ઉપલક્ષમાં સાત દિવસીય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

વિપ્ર ફાઉન્ડેશન ઝોન 15,સુરત ગુજરાત દ્વારા ભગવાન શ્રી પરશુરામ પ્રાગટ્ય મહોત્સવ તથા બ્રહ્માવંશાવતાર શ્રી ખેતેશ્વર મહારાજનાં જન્મ કલ્યાણ મહોત્સવના ઉપલક્ષમાં સાત દિવસીય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ગત તારીખ 22મીએ શ્રી ખેતેશ્વર મહારાજની આરતી પૂજનનો ભક્તોએ લ્હાવો લીધો હતો,જ્યારે તારીખ 25મી એપ્રિલે ૐ નંદેશ્વર ગૌશાળામાં ગૌ પૂજન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત તારીખ 26મીએ બારડોલી ખાતેના શાંતિનાથ સેવા આશ્રમમાં નરસેવા નારાયણ સેવાના ઉદ્દેશ્યને સાકાર કરવામાં આવ્યો હતો.વધુમાં તારીખ 27મી એપ્રિલ રવિવારના રોજ સુરતના શ્રી બાબોસ મંદિર,ગોડાદરાથી શ્રી કૃષ્ણા ક્લાસીસ સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી.જેમાં વિપ્ર ફાઉન્ડેશન ઝોન 15,સુરત સહિતના હોદ્દેદારો,સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા.

જ્યારે સુરત ડીંડોલીના ઓલ્ડએજ હોમ વૃદ્ધાશ્રમમાં સેવાકાર્યની ધૂણી પણ ધખાવવામાં આવશે.આ ઉપરાંત તારીખ 29મી મંગળવારના રોજ ભગવાન શ્રી પરશુરામ જયંતી પ્રસંગે ટેક્સટાઇલ માર્કેટ સામે વિપ્ર ગૌરવ ભવન ખાતે સવારે ભગવાન શ્રી પરશુરામના પૂજન અર્ચન સાથે છાશ વિતરણના કાર્યક્રમનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું છે. 

Read the Next Article

સુરત : આંગણીયા પેઢીના 2 કર્મચારી સાથે થયેલ રૂ. 40.65 લાખના માલમત્તાની ચોરી-લૂંટનો ભેદ ઉકેલાયો, 5 શખ્સોની ધરપકડ

આંગણીયા પેઢીના કર્મચારીને માર મારી 16.55 લાખની કિંમતના પાર્સલ અને એક હજારની કિંમતનો તેનો મોબાઈલ ફોન લૂંટી સરથાણા જકાતનાકા પાસે ઉતારી દેવાયો હતો

New Update
  • વરાછામાં થયેલ લાખોના મત્તાની લૂંટ અને ચોરીનો મામલો

  • આંગણીયા પેઢીના 2 કર્મચારીઓ સાથે થઈ લૂંટ અને ચોરી

  • રૂ. 40.65 લાખના માલમત્તાની ચોરી-લૂંટનો ભેદ ઉકેલાયો

  • પોલીસે CCTV ફૂટેજના આધારે ઝીણવટભરી તપાસ આદરી

  • 5 શખ્સોની ધરપકડ સાથે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી 

સુરતમાં અમદાવાદની આર. મહેન્દ્ર આંગડિયા પેઢીના 2 કર્મચારીઓ સાથે થયેલી રૂ. 40.65 લાખના માલમત્તાની ચોરી અને લૂંટનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. સમગ્ર મામલે પોલીસે 5 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના આર. મહેન્દ્ર આંગડિયામાં ડિલિવરીમેન તરીકે નોકરી કરતો નિકુલસિંહ રાજપૂત ગત તારીખ 14મીની રાત્રે પેઢીની અમદાવાદ ઓફિસમાંથી સોનુંચાંદી અને હીરા સહિત રૂ. 16.55 લાખની કિંમતના 25 પાર્સલ લઈને સુરતની હેડ ઓફિસ આવવા લક્ઝરી બસમાં નીકળ્યો હતો. જે તા. 15મીએ મળસ્કે 4:30 વાગ્યે બસ વૈશાલી ત્રણ રસ્તા પાસે ઉભી રહેતા તેમાંથી ઉતરેલા નિકુલસિંહ ડ્રાઈવર વિનોદસિંહને વારંવાર ફોન કરી રહ્યો હોવા છતાં તે ઉપાડી રહ્યો ન હતો. તે જ વખતે તેની પાસે બ્લ્યુ કલરની કાર આવીને ઉભી રહી હતી.

કારમાં આવેલા 3 શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને તે ગાંજો વેચતો હોવાનો આરોપ મુકી તેને કારમાં બેસવા દબાણ કર્યું હતું. તે વખતે પહેલેથી જ બહાર ઉભો રહેલો શખ્સ ત્યાં ધસી આવ્યો હતોઅને કારમાં અપહરણ કરી લેવાયું હતું. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ કર્મચારીને તમાચા અને ગડદાપાટુનો માર મારી રૂ. 16.55 લાખની કિંમતના પાર્સલ અને એક હજારની કિંમતનો તેનો મોબાઈલ ફોન લૂંટી સરથાણા જકાતનાકા પાસે ઉતારી દેવાયો હતો. પેઢીના ભાગીદાર રાજેશસિંહ ગુલાબજી રાજપૂતે આ ગુનાને લઈ તા. 16મીએ રાત્રે 8:15 વાગ્યે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

લૂંટની તપાસ ચાલી રહી હતીતેની વચ્ચે આ જ પેઢીનો બીજો ડિલિવરીમેન પ્રફુલ્લ પરષોત્તમ પટેલ અમદાવાદથી રાત્રે પોણા અગિયાર વાગ્યે રૂ. 24.10 લાખના હીરા અને 90 રૂપિયાની કિંમતના સોનાના 25 પાર્સલ લઈને શિવાય ટ્રાવેલ્સની બસમાં બેઠો હતો. જે તા. 17મીની મળસ્કે 5:15 વાગ્યે બસ વૈશાલી ત્રણ રસ્તા પાસે ઉભી હતી. આંગડિયાકર્મી ડ્રાઇવિંગ સીટની પાછળ થેલો મુકી ડ્રાઈવર સાથે વ્યસ્ત હતોતે વખતે બસમાં તેને લૂંટવાના ઇરાદે સવાર 2 ગઠિયા થેલો લઈને ઉતરી જતાં ધમાચકડી મચી હતી. એક ગુનાની તપાસ ચાલી રહી હતીતેના 9 કલાકમાં જ બીજો કર્મચારી ચોરીનો ભોગ બનતા પોલીસ દોડતી થઇ હતી.

બન્ને ઘટનાઓને લઈને પોલીસે CCTV ફૂટેજના આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતીત્યારે આંગડિયા પેઢીના 2 અલગ અલગ કર્મચારીઓ સાથે થયેલી રૂ. 40.65 લાખના માલમત્તાની ચોરી અને લૂંટનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. લૂંટ અને ચોરીના ગુનામાં સંડોવાયેલા શૈલેષ રાજપુરોહિતશ્રવણસિંહ રાજપૂતજોગસિંહ રાજપુરોહિતઆકાશસિંગ ગણપતસિંગભરત રાજપુરોહિતને ઝડપી પાડ્યા છે. પોલીસે શખ્સો પાસેથી અલગ અલગ કેરેટના રૂ. 4 લાખના ડાયમંડ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.