સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાના મુસ્લિમ પરિવારે કર્યું એવું કામ કે તમે પણ બોલી ઉઠશો– વાહ રે વાહ

New Update
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાના મુસ્લિમ પરિવારે કર્યું એવું કામ કે તમે પણ બોલી ઉઠશો– વાહ રે વાહ


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલાં બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન પરથી ધ્રાંગધ્રાના મુસ્લિમ પરિવારે દીકરીનો જન્મ થતાં હર્ષભેર વધામણા કર્યા હતાં.

ભારતમાં દીકરીઓની સંખ્યામાં ઘટાડો થઇ રહયો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનની શરૂઆત કરી છે. સુરેન્દ્નગર જિલ્લાના ધ્રાંગધ્રા માં રહેતા કરીમભાઈ મુલતાની ના દીકરાના ઘેર દીકરીનો જન્મ થયો હતો. દીકરીનું આગમન ઘરમાં થતા દીકરીને તેમજ દીકરીના માં બાપ ને ધામધુમથી ઘરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. કરીમભાઈ કહે છે કે દીકરી છે તે જગત જનની છે તેમજ મારા એકના એક દીકરાના ઘેર લક્ષ્મીજીની પધરામણી થઈ તેની મને ખુશી છે. અને આ દીકરીના જન્મને વધાવવા માટે મોટો કાર્યક્રમ પણ કરવાનું આયોજન હતું પણ કોરોનાના કારણે ફક્ત ઘરના લોકો ભેગા થઈને અમે આ દીકરીનું તેમજ તેને જન્મ આપનાર માતાનું સ્વાગત કર્યું છે.

Read the Next Article

ઓપરેશન સિંધુ : ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા, ઈરાનથી 110 વિદ્યાર્થીઓ વહેલી સવારે દિલ્હી પહોંચ્યા

ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા છે. ઓપરેશન સિંધુ હેઠળ 110 ભારતીય વિદ્યાર્થીઓની પહેલી ફ્લાઇટ ઈરાનથી પરત ફરી છે.

New Update
iran

ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા છે. ઓપરેશન સિંધુ હેઠળ 110 ભારતીય વિદ્યાર્થીઓની પહેલી ફ્લાઇટ ઈરાનથી પરત ફરી છે. ભારતીય વિદ્યાર્થીઓને લઈને ઈરાનથી આવેલું વિમાન આજે વહેલી સવારે દિલ્હી પહોંચ્યું હતું. ઇરાનથી પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓએ ઈરાનની પરિસ્થિતિનું વર્ણન કર્યું. આ બધા વિદ્યાર્થીઓ ઈરાનના ઉર્મિયાથી પાછા ફર્યા છે. બધા વિદ્યાર્થીઓ ઉર્મિયા યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે, પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને આશા વ્યક્ત કરી કે, પરિસ્થિતિમાં સુધારો થશે અને તેમનો અભ્યાસ ફરી શરૂ થશે.

વાસ્તવમાં યુદ્ધગ્રસ્ત ઈરાનથી 100 વિદ્યાર્થીઓને આર્મેનિયા લઈ જવામાં આવ્યા હતા. આ પછી ગુરુવારે વહેલી સવારે તેમની ફ્લાઇટ દિલ્હીમાં ઉતરી. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે બોમ્બમારો ચાલુ છે. ઈરાન પર સતત મિસાઈલોથી હુમલો થઈ રહ્યો છે ત્યારે ભારતીય વિદ્યાર્થીઓને તેહરાનથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ભારતીય દૂતાવાસ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ 'ઓપરેશન સિંધુ' હેઠળ મંગળવારે 110 વિદ્યાર્થીઓએ આર્મેનિયાની સરહદ પાર કરી હતી.