યુપીમાં શરૂ થઈ સંસ્કૃત શિષ્યવૃત્તિ યોજના, જાણો કયા વિદ્યાર્થીઓને મળશે
ઉત્તર પ્રદેશમાં નવી સંસ્કૃત શિષ્યવૃત્તિ યોજના શરૂ કરવામાં આવી છે. શિષ્યવૃત્તિના નાણાં સીધા વિદ્યાર્થીના બેંક ખાતામાં આપવામાં આવશે. આ શિષ્યવૃત્તિ રાજ્ય સરકાર દ્વારા 23 વર્ષ બાદ ફરી શરૂ કરવામાં આવી છે. અગાઉ માત્ર 300 વિદ્યાર્થીઓ જ આ શિષ્યવૃત્તિ મેળવતા હતા.