Connect Gujarat
ટેકનોલોજી

ઈન્ફોસિસના CFO નીલંજન રોયે રાજીનામું આપ્યું, જયેશ સંઘરાજકાને નવા ચીફ ફાયનાન્સિયલ ઓફિસર તરીકે નિયુક્ત

આઈટી કંપની ઈન્ફોસિસના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર (CFO) નિલાંજન રોયે રાજીનામું આપી દીધું છે.

ઈન્ફોસિસના CFO નીલંજન રોયે રાજીનામું આપ્યું, જયેશ સંઘરાજકાને નવા ચીફ ફાયનાન્સિયલ ઓફિસર તરીકે નિયુક્ત
X

આઈટી કંપની ઈન્ફોસિસના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર (CFO) નિલાંજન રોયે રાજીનામું આપી દીધું છે. કંપનીમાંથી તેમની એક્ઝિટ 31 માર્ચ, 2024થી લાગુ થશે. કંપનીએ 1 એપ્રિલ, 2024થી નીલાંજન રોયના સ્થાને જયેશ સંઘરાજકાને નવા CFO તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે.નિલંજન રોય 2018થી કંપનીના CFO હતા. અગાઉ, પૂર્વ પ્રમુખ રવિ કુમાર એસ અને મોહિત જોશીએ કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું. ઇન્ફોસિસે છેલ્લા 12 મહિનામાં ઓછામાં ઓછા આઠ વરિષ્ઠ મેનેજમેન્ટ કર્મચારીઓ ગુમાવ્યા છે. કેટલાક હરીફ કંપનીઓમાં જોડાયા છે. જયેશ સંઘરાજકા તેમના બે કાર્યકાળ દરમિયાન 18 વર્ષથી વધુ સમયથી ઇન્ફોસિસમાં કામ કરી રહ્યા છે. અગાઉ તેમણે 2000થી 2007 સુધી કંપનીમાં કામ કર્યું હતું. ત્યારબાદ તે ડિસેમ્બર 2012થી અત્યાર સુધી કંપનીમાં કામ કરી રહ્યા છે. જયેશે કંપનીમાં લીડરશીપની ઘણી ભૂમિકાઓ ભજવી છે. તેઓ હાલમાં કંપનીના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને ડેપ્યુટી ચીફ ફાયનાન્સિયલ ઓફિસર (ઓક્ટોબરથી) તરીકે કામ કરી રહ્યા છે. તેમની પાસે 25 વર્ષથી વધુનો કામનો અનુભવ છે અને તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે.

Next Story