ગુજરાત રાજ્યમાં કુલ કોરોના કેસની સંખ્યા 96 હજારને પાર, આજે વધુ 1280 નવા કેસ નોંધાયા

New Update
ગુજરાત રાજ્યમાં કુલ કોરોના કેસની સંખ્યા 96 હજારને પાર, આજે વધુ 1280 નવા કેસ નોંધાયા

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. રાજ્યમાં આજે કોરોનાના વધુ 1280 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. અને આજે વધુ 14 દર્દીઓના મોત થયા છે. જ્યારે 1025 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 96435 પર પહોંચી છે. અને કુલ મૃત્યુઆંક 3022 થયો છે.

રાજ્યમાં આજે 1280 નોંધાયેલ નવા પૈકી સુરત કોર્પોરેશનમાં 171, અમદાવાદ કોર્પોરેશનમાં 147, વડોદરા કોર્પોરેશનમાં 93, જામનગર કોર્પોરેશમાં 91, સુરતમાં 86, રાજકોટ કોર્પોરેશમાં 84, પંચમહાલ 39, વડોદરા 35, રાજકોટ 34, અમરેલી 30, મહેસાણા 29, મોરબી 28, અમદાવાદ 26, ભાવનગર કોર્પોરેશનમાં 26, પાટણમાં 25, જામનગરમાં 23, સુરેન્દ્રનગર 21, આણંદમાં 20, ભરૂચમાં 20, ગાંધીનગર કોર્પોરેશનમાં 20, કચ્છમાં 20 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે 14 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનનમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, ભાવનગર કોર્પોરેશનમાં 2, રાજકોટમાં 2, ગાંધીનગર કોર્પોરેશમાં 1, જામનગર કોર્પોરેશનમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 નું મોત થયા છે.

રાજ્યમાં હાલ 15631 એક્ટિવ કેસ છે, જ્યારે 77782 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 79 દર્દી વેન્ટીલેટર પર છે અને 15552 લોકો સ્ટેબલ છે.

Latest Stories