• કચ્છનું સફેદ રણ ફરી એકવાર પ્રવાસીઓને આવકારવા તૈયાર

  • કચ્છનું સફેદ રણ પર રણ ઉત્સવ 2025-26 સંપૂર્ણપણે તૈયાર

  • સ્મૃતિ વન ભૂકંપ મ્યુઝિયમ લાખો પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર

  • રણ ઉત્સવમાં સાંસ્કૃતિક પરંપરા તથા સ્થાનિક વાનગીનો સ્વાદ

  • જાદુઈ રણનો અનુભવ કરવા લાખો સહેલાણીઓમાં આતુરતા

કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાની ઓળખ ધરાવતો સફેદ રણ વિસ્તાર માત્ર તેની કુદરતી સુંદરતા માટે જ નહીંપણ પુનર્નિર્માણની અદ્ભુત ગાથા માટે પણ જાણીતો છે. વર્ષ 2001ના ભૂકંપ પછીતત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રણ ઉત્સવ શરૂ કરીને કચ્છને વૈશ્વિક પ્રવાસન નક્શા પર મુક્યું છે. વિનાશમાંથી વિકાસ તરફની આ પ્રેરણાદાયી સફરને હવે સ્મૃતિ વન ભૂકંપ મ્યુઝિયમ પણ ઉજાગર કરવામાં આવ્યું છે. માઈલો સુધી પથરાયેલું કચ્છનું સફેદ રણઊંટની સવારી અને કચ્છની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા તથા સ્થાનિક વાનગીઓનો સ્વાદ આ બધું જ રણ ઉત્સવને ખાસ બનાવે છે.

દેશ-વિદેશના લાખો પ્રવાસીઓ આ અદ્ભુત અનુભવ લેવા માટે ખૂબ જ ઉત્સાહિત હોય છે. કચ્છની આ પરિવર્તનની સફર અકલ્પનીય રહી છે. વર્ષ 2005માં શરૂ થયેલો રણ ઉત્સવ આજે કચ્છને ભારત જ નહીંપણ દુનિયાના પ્રવાસનનું એક વિશેષ કેન્દ્ર બનાવી ચૂક્યો છે. અહીંનું સ્મૃતિ વન ભૂકંપ મ્યુઝિયમ ભૂકંપની વિનાશકતા અને ત્યારબાદના અસાધારણ વિકાસને રજૂ કરે છે. જે દરેક પ્રવાસીને માનવ ભાવનાની તાકાતનો અહેસાસ કરાવે છે.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળરણ ઉત્સવ 2025-26 સંપૂર્ણપણે તૈયાર છેઅને ગત વર્ષની જેમ આ વર્ષે પણ લાખો પ્રવાસીઓને અનફર્ગેટેબલ મેમરીઝ‘ આપવા માટે સજ્જ છે. પૂનમની રાતે સફેદ રણનો નજારોધોરડો તેમજ કાળો ડુંગર પર્યટકોને અનોખી અનુભૂતિ કરાવે છે.આ ઉપરાંત લખપતનું ગુરદ્વારાકોટેશ્વર મહાદેવ અને આશાપુરા માતાજીનું મંદિર જેવાં સ્થળો પણ જોવાનું પર્યટકો ચૂકતાં નથી.તોત્યારે આ જાદુઈ રણનો અનુભવ કરવા માટે લાખો સહેલાણીઓ અને પર્યટકોમાં આતુરતા જોવા મળી છે.