અંકલેશ્વરમાં યુથ કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ
માર્ગની તકલાદી કામગીરીના આક્ષેપ
દેખાવા પૂરતી કામગીરી હોવાના આક્ષેપ
આંદોલનની ઉચ્ચરવામાં આવી ચીમકી
માટી પુરી તકલાદી કામગીરી કરવામાં આવી હોવાના આક્ષેપ
અંકલેશ્વર રેલ્વે સ્ટેશનથી ચર્ચ નાકા સુધીના બિસ્માર માર્ગ બંધ કરવાની યુથ કોંગ્રેસની ચીમકી બાદ તંત્ર દ્વારા તકલાદી કામગીરી શરુ કરતા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો.
અંકલેશ્વર-હાંસોટ યુથ કોંગ્રેસના પ્રમુખ શરીફ કાનૂગા દ્વારા અંકલેશ્વર રેલ્વે સ્ટેશનથી ચર્ચ નાકા સુધીના બિસ્માર માર્ગની કામગીરી શરુ નહિ કરવામાં આવે તો ૪૮ કલાકમાં માર્ગ બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી..
જે બાદ આજરોજ પાલિકા તંત્ર દ્વારા મટીરીયલના બદલે આજુ બાજુની માટીને ખાડામાં પૂરીને લાલી લિપસ્ટિક કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે યુથ કોંગ્રેસના શરીફ કાનૂગાએ કામગીરી અટકાવી વિરોધ નોંધાવ્યો હતો અને તંત્ર યોગ્ય રીતે કામગીરી નહિ કરવામાં તો ફરી ૪૮ કલાકમાં માર્ગ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે.