યોગી આદિત્યનાથનો આજે 49મો જન્મદિવસ, જાણો કેવો રહ્યો તેમનો રાજકીય પ્રવાસ

New Update
યોગી આદિત્યનાથનો આજે 49મો જન્મદિવસ, જાણો કેવો રહ્યો તેમનો રાજકીય પ્રવાસ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આજે 49મો જન્મદિવસ છે. ગોરક્ષપીઠના મહંત, નાથ સંપ્રદાયના નેતા યોગી આદિત્યનાથ પણ સતત પાંચ વખત સાંસદ રહ્યા છે. યોગીથી યુપીની સત્તાની ટોચ પર પહોંચેલા યોગી આદિત્યનાથનું નામ અજયસિંહ બિષ્ટ હતું. પરંતુ નાથ સંપ્રદાયથી દીક્ષા લીધા પછી, તેમણે પોતાનું નામ બદલ્યું.

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો જન્મ 5 જૂન 1972માં ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના પંચુર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ આનંદસિંહ બિષ્ટ અને માતાનું નામ સાવિત્રી દેવી છે. યોગીના કુલ સાત ભાઈ-બહેન છે. યોગી આદિત્યનાથ તેમના માતાપિતાના પાંચમા સંતાન છે. તે માત્ર 22 વર્ષની ઉંમરે યોગી બન્યા.

ગઢવાલ યુનિવર્સિટીમાંથી ગણિતમાં બી.એસ.સી. કરનાર યોગી આદિત્યનાથ 1993માં ગણિતમાં એમ.એસ.સી.નો અભ્યાસ કરતી વખતે ગોરખપુર પહોંચ્યા હતા. 15 ફેબ્રુઆરી 1994ના રોજ, ગોરખનાથ મંદિરના મહંત અવૈદ્યનાથથી દીક્ષા લીધા પછી તેઓ ઘર છોડીને યોગી બન્યા.

1998માં મહંત અવૈદ્યનાથે યોગી આદિત્યનાથને તેમનો અનુગામી જાહેર કર્યો. આ સિવાય તેમણે યોગી આદિત્યનાથને લોકસભાના ઉમેદવાર તરીકે પણ જાહેર કર્યા. જે બાદ તે માત્ર 26 વર્ષની ઉંમરે ચૂંટણી જીત્યા બાદ સંસદ ભવન પહોચ્યા હતા. પહેલેથી જ ચૂંટણી જીતી ચૂકેલા યોગી આદિત્યનાથને સૌથી યુવા સાંસદ બનવાનો મોકો મળ્યો હતો.

સમય જતા યોગી આદિત્યનાથની ખ્યાતિ પણ વધતી ગઈ. મુખ્યમંત્રી બનતા પહેલા તેઓ વિવાદોમાં રહ્યા છે. 10 ફેબ્રુઆરી, 1999ના રોજ મહારાજગંજ જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશનની પચરૂખીયા ઘટનાએ યોગીને વધુ ચર્ચામાં લાવ્યા.

આ ઘટના પછી તેમના ઉપર અનેક વખત ધર્મ વિરોધી અને કોમી ભાષણો આપવાનો આરોપ મૂકાયો હતો. ગોરખપુરમાં થયેલા કોમી રમખાણો દરમિયાન તેમને જેલમાં પણ જવું પડ્યું હતું.

આ સમયગાળા દરમિયાન યોગી આદિત્યનાથે હિન્દુ યુવા વાહિની અને બજરંગ દળ જેવા સંગઠનોને મજબૂત બનાવ્યા. 2007ની વિધાનસભાની ચૂંટણીઓ અને 2009ની લોકસભાની ચૂંટણી દરમિયાન પણ તેમણે બળવાખોર વલણ દર્શાવ્યું હતું.

1998, 1999, 2004, 2009 અને 2014ની લોકસભા ચૂંટણીમાં યોગી આદિત્યનાથે સતત પાંચમો વિજય મેળવ્યો. 2017ની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત પછી, તેઓ મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાયા અને 19 માર્ચ 2017ના રોજ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા.

Read the Next Article

PM મોદીને નામીબિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન, રાષ્ટ્રપતિએ એવોર્ડથી કર્યા સન્માનિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નામિબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, 'Order of the Most Ancient Welwitschia Mirabilis'થી નવાજવામાં આવ્યા હતા. આ પુરસ્કારની સ્થાપના 1995

New Update
pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નામિબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, 'Order of the Most Ancient Welwitschia Mirabilis'થી નવાજવામાં આવ્યા હતા. આ પુરસ્કારની સ્થાપના 1995 માં વિશિષ્ટ સેવા અને નેતૃત્વને માન્યતા આપવા માટે કરવામાં આવી હતી.

આ પુરસ્કારનું નામ ખૂબ જ દુર્લભ અને પ્રાચીન રણના છોડ વેલ્વિટ્શિયા મિરાબિલિસ પરથી રાખવામાં આવ્યું છે, જે ફક્ત નામિબિયામાં જ જોવા મળે છે. આ છોડને સંઘર્ષ, દીર્ધાયુષ્ય અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે અને આ ભાવના આ સન્માન દ્વારા પ્રતિબિંબિત થાય છે.

તમને જણાવી દઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નામિબિયાના રાષ્ટ્રપતિ ડૉ. નેતુમ્બો નંદી-ન્દૈત્વ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી. આમાં ભારત-નામિબિયા સંબંધોની સમીક્ષા કરવામાં આવી હતી. બંને નેતાઓએ ડિજિટલ ટેકનોલોજી, સંરક્ષણ, સુરક્ષા, કૃષિ, આરોગ્ય, શિક્ષણ અને મહત્વપૂર્ણ ખનિજો જેવા ક્ષેત્રોમાં સહયોગ વિશે વિગતવાર ચર્ચા કરી હતી.પીએમ મોદીએ X પરની એક પોસ્ટમાં કહ્યું કે અમે વેપાર, ઉર્જા અને પેટ્રોકેમિકલ ક્ષેત્રોમાં પરસ્પર સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા કરી. પ્રધાનમંત્રી મોદીએ 'પ્રોજેક્ટ ચિત્તા'માં નામિબિયા તરફથી મળેલા સહયોગ બદલ ખાસ આભાર વ્યક્ત કર્યો.