/connect-gujarat/media/post_banners/3b87b67e33b4789073a39de8bd7322288ad11d8cda06bc4fa0bb0bf45dfc4e83.webp)
જો તમે ઉનાળામાં પરિવાર કે મિત્રો સાથે ફરવા માટે કોઈ સ્થળ શોધી રહ્યા છો, જ્યાં પહોંચવા માટે વધારે મહેનત કરવી પડતી નથી અને જે મજાની દ્રષ્ટિએ પણ ઉત્તમ છે, અને પ્રાણી પ્રેમીઓ માટે રણથંભોર બેસ્ટ જગ્યા છે.
રણથંભોર રાજસ્થાનની રાજધાની જયપુર નજીક સ્થિત સવાઈ માધોપુરની નજીક છે. વિંધ્ય ઉચ્ચપ્રદેશ અને અરવલ્લી ટેકરીઓને અડીને, ઉત્તરમાં બનાસ નદી અને દક્ષિણમાં ચંબલ નદીથી ઘેરાયેલું, એક જંગલ છે જેની સ્થાપના 1955માં સવાઈ માધોપુર શિકારગઢના નામથી કરવામાં આવી હતી. વર્ષ 1980માં તેને રણથંભોર અભયારણ્ય નામ મળ્યું. પહેલા આ જંગલમાં ઘણા વાઘ રહેતા હતા. અહીં રાજાઓ તેમનો શિકાર કરવા આવતા હતા. વાઘની ઘટતી સંખ્યાને કારણે, તેને અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું. રોયલ બંગાળ ટાઇગર અહીંનું ખાસ આકર્ષણ છે. તે માત્ર ભારત માટે જ નહીં પરંતુ વિદેશી પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે.
1. રણથંભોર કિલ્લો :-
યુનેસ્કો દ્વારા તેને વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવી છે. તે રણથંભોર નેશનલ પાર્કની અંદર સ્થિત છે. આ એક ઐતિહાસિક કિલ્લો છે જે 944 બીસીમાં બનાવવામાં આવ્યો હતો. આઝાદી પહેલા, તે જયપુર રાજવી પરિવાર પાસે હતું અને તે જંગલના રાજાઓનું શિકારનું સ્થળ હતું.
2. ત્રિનેત્ર ગણેશ મંદિર :-
આ પ્રાચીન મંદિર રણથંભોર કિલ્લાના પ્રવેશદ્વાર પાસે આવેલું છે. જે સમગ્ર ભારતમાં એકમાત્ર એવું મંદિર છે, જ્યાં ભગવાન ગણેશની ત્રણ આંખોવાળી મૂર્તિ છે. તેમની સાથે તેમની પત્ની રિદ્ધિ અને સિદ્ધિની મૂર્તિઓ પણ સ્થાપિત છે. કોઈપણ પ્રસંગ પહેલા, લોકો આ મંદિરમાં પોસ્ટ દ્વારા ભગવાન ગણેશને આમંત્રણ પત્રો મોકલે છે, જે મંદિરના પૂજારી દ્વારા ભગવાનની મૂર્તિની સામે વાંચવામાં આવે છે.
3. કચિદા ઘાટી :-
. કચિદા ઘાટી ટાઈગર રિઝર્વ પાસે સ્થિત છે, જે રણથંભોર જીપ સફારી દરમિયાન જોઈ શકાય છે. આ ખીણમાં ચિત્તા, રીંછ અને અન્ય જંગલી પ્રાણીઓ પણ જોવા મળે છે. ઉંચી-નીચી ટેકરીઓ અને દૂર-દૂર સુધી ફેલાયેલી હરિયાળી વચ્ચે નાના-નાના તળાવો મનને મોહી લેવાનું કામ કરે છે.
4. જોગી મહેલ :-
તે જયપુર શાહી પરિવારનું વિશ્રામ સ્થળ હતું, જ્યાં તેઓ શિકાર કર્યા પછી આરામ કરતા હતા. આ મહેલ નાનો છે પણ ખૂબ જ સુંદર છે. મહેલની નજીક આવેલ વડનું વૃક્ષ ભારતમાં બીજા નંબરનું સૌથી મોટું વૃક્ષ છે.
- અહી જવા માટે દિલ્હીથી હવાઈ માર્ગે જયપુર પહોંચી શકાય છે અને ત્યાંથી કાર કે ટ્રેન દ્વારા સવાઈ માધોપુર જઈ શકાય છે. તે જયપુરથી 180 કિલોમીટરના અંતરે છે.
- ટ્રેન દ્વારા આવવા માટે, સવાઈ માધોપુર સ્ટેશન પર ઉતરવું પડશે, જ્યાંથી રણથંભોર માત્ર 10 કિલોમીટર દૂર છે.
- ઉનાળામાં મુલાકાત લેવા માટે એપ્રિલથી જૂન શ્રેષ્ઠ સમય છે. ચોમાસા દરમિયાન, આ સ્થળના ઘણા ભાગો સુરક્ષા કારણોસર બંધ કરવામાં આવે છે.