Connect Gujarat
ટ્રાવેલ 

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 12 મિનિટ પુશબેક બાદ ફ્લાઈટ પરત આવી

મુંબઈ-કાલિકટ સેક્ટરથી સંચાલિત એર ઈન્ડિયાની ફ્લાઈટ 581 ટેક્નિકલ સમસ્યાને કારણે સવારે ટેકઓફ થઈ શકી ન હતી.

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 12 મિનિટ પુશબેક બાદ ફ્લાઈટ પરત આવી
X

મુંબઈ-કાલિકટ સેક્ટરથી સંચાલિત એર ઈન્ડિયાની ફ્લાઈટ 581 ટેક્નિકલ સમસ્યાને કારણે સવારે ટેકઓફ થઈ શકી ન હતી. જણાવવામાં આવી રહ્યું છે કે સવારે 6.13 વાગ્યે પુશબેક બાદ એરક્રાફ્ટમાં ટેક્નિકલ સમસ્યા જોવા મળી હતી. જેના પછી તેને સવારે 6.25 વાગ્યે પરત લાવવું પડ્યું હતું. એન્જિનિયરિંગ તપાસ બાદ ટેકનિકલ ખામી સુધારવામાં આવી હોવા છતાં એરક્રાફ્ટનું ટેક-ઓફ ત્રણ કલાક મોડું થયું હતું. વિમાનમાં 110 મુસાફરો સવાર હતા. એર ઈન્ડિયાના પ્રવક્તાએ આ જાણકારી આપી છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે એર ઈન્ડિયા સલામતી મુદ્દાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. તેથી વિમાનને પુનઃસંચાલન માટે સાફ કરતાં પહેલાં સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી.

Next Story