બે દિવસ પહેલા અમિતાભે શેર કરી હતી કવિતા- કહ્યું, મુશ્કેલ સમય પસાર થઈ જશે

New Update
બે દિવસ પહેલા અમિતાભે શેર કરી હતી કવિતા- કહ્યું, મુશ્કેલ સમય પસાર થઈ જશે

પોતાના શબ્દોના માધ્યમથી અમિતાભ બચ્ચને લોકોને કોરોના કાળ સામે લડવા અને તેમના વિરુદ્ધ હિંમત બનાવી રાખવા માટે પ્રેરિત કર્યાં હતા. તેમણે 8 જુલાઈએ ટ્વીટ કરીને આ કવિતા શેર કરી હતી.

મહાનાયક અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ નાણાવટી હોસ્પિટલમાં એડમિટ છે. સોશિયલ મીડિયા પર સક્રિય રહેનાર અમિતાભ બચ્ચને ખુદ ટ્વીટ કરીને કોરોના પોઝિટિવ હોવાની સૂચના ફેન્સને આપી હતી. સોશિયલ મીડિયા દ્વારા લોકોને દરેક મુદ્દા પર હિંમત આપનાર અમિતાભે બે દિવસ પહેલા જ એક કવિતા શેર કરી હતી, જેમાં તેમણે લોકોને આ મુશ્કેલ સમયમાં ટકી રહેવા માટે પ્રોસ્તાસિત કર્યાં હતા.

અમિતાભે પોતાના અવાજમાં આ કવિતાને શેર કરી હતી. કવિતાના બોલ આવા છે- ગુજર જાએગા ગુજર જાએગા, મુશ્કિલ બહોત હૈ મગર વક્ત હી તો હૌ, ગુજર જાએગા, જિંદા રહેને કા જે જો જજ્બા હૈ, ફિર ઉભર આએગા, ગુજર જાએગા, માના મૌત ચેહરા બદલ કર આઈ હૈ, માના રાત કાલી હૈ ભયાવહ હૈ, ગહરાઈ હૈ, લોગ દરવાજોં પે, રાસ્તોં પે રૂકે બૈઠે હૈ, કઈ ઘબરાઇ હૈ, સહમે હૈં, છિપે બૈઠે હૈ, મગર યકીન રખ યહ બસ લમ્હા હૈ દો પલ મેં બિખર જાએગા, જિંદા રહને કા યે જો જજ્બા હૈ ફિર અસર લાએગા, મુશ્કિલ બહોત હૈ, મગર વક્ત તો હૈ ગુજર જાએગા, ગુજર જાએગા, પોતાના આ શબ્દોના માધ્યમથી અમિતાભે લોકોને કોરોના કાળ સામે લડવા અને તેમની વિરુદ્ધ પોતાનો સંયમ બનાવી રાખવા પ્રેરિત કર્યાં હતા. તેમણે 8 જુલાઈએ ટ્વીટ કરીને સુંદર કવિતા શેર કરી હતી.

 શનિવારે મોડી રાત્રે અમિતાભ અને અભિષેક બચ્ચન બંન્નેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ત્યારબાદ તેમને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રેપિડ ટેસ્ટ બાદ તેમનો બીજો ટેસ્ટ કરવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ 24 કલાકમાં આવી જશે.  

જ્યા બચ્ચન, ઐશ્વર્યા બચ્ચન અને આરાધ્યા બચ્ચનનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્રણેયનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. તેમના સ્ટાફનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો છે. હાલ અમિતાભ અને અભિષેક જલદી સાજા થાય તેની દુઆ દેશ કરી રહ્યો છે. 

Read the Next Article

કારગિલ વિજય દિવસે વીર જવાનોના સાહસ અને વીરતાની કહાનીને ગૌરવથી યાદ કરતા દેશવાસીઓ

આજથી 26 વર્ષ પહેલા 1999માં ભારતીય સેનાના જવાનો સામે કારગિલમાં પાકિસ્તાનનો પરાજય થયો હતો. જેથી આજના દિવસને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

New Update
Kargil Vijay Diwas

ભારતના વીર જવાનોના સાહસ અને વીરતાની કહાણીને ગૌરવથી યાદ કરવાનો આજનો દિવસ છે. આજથી26 વર્ષ પહેલા 1999માં ભારતીય સેનાના જવાનો સામે કારગિલમાં પાકિસ્તાનનો પરાજય થયો હતો. જેથી આજના દિવસને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ યુદ્ધમાં ભારતના કુલ 527 જવાનો શહીદ થયા હતા. જ્યારે 1300થી વધારે જવાનો ઘાયલ થયા હતા. ભારતીય સેનાએ ઓપરેશન વિજય’ આ યુદ્ધ લડ્યું અને ભવ્ય વિજય મેળવ્યો હતો.

ભારતે પાકિસ્તાનને દરેક વખતે હરાવ્યું છે. સ્ટેડિયમાં રમાતી ક્રિકેટ મેચ હોય કે બોર્ડર પર યુદ્ધના મેદાને ખેલાતુ યુદ્ધ હોય પાકિસ્તાનને ભારત પાસેથી માત્ર હાર જ મળી છે. આવું એક યુદ્ધ મે મહિનાથી26 જુલાઈ 1999માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલમાં થયું હતું. અહીં ભારતે પાકિસ્તાનને ફરી એકવાર હારનો સ્વાદ ચખાડ્યો હતો. આજે આ દિવસ ભારતના એ વીર સપૂતોને યાદ કરવાનો અને ભારતની જીતને ઉજવવાનો છે. ભારતમાં 26 જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. આ દિવસ આપણને ભારતનાએ વીર જવાનોના બલિદાનસાહસ અને દેશભક્તિની યાદ અપાવે છે. એ જવાનોએ આપણાં માટે જે કર્યું છે તેનો ઋણ આપણે ક્યારેય ચૂકવી શકવાના નથી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે1999માં મે થી જુલાઈ સુધી ચાલ્યું હતું. પાકિસ્તાની સેના જમ્મુ અને કાશ્મીરના કારગિલ જિલ્લામાં નિયંત્રણ રેખા પાર કરી ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી હતી. જેથી ભારતીય સેનાએ પાકિસ્તાનને હરાવવા માટે ઓપરેશન વિજય શરૂ કર્યું હતું. સેના સાથે વાયુસેનાએ પણ ઓપરેશન સફેદ સાગર શરૂ કર્યું હતું. લાંબી લડાઈ બાદ આખરે જુલાઈમાં પાકિસ્તાન ઘુંટણીએ આવ્યું અને હાર સ્વીકારી હતી. આ યુદ્ધમાં કેપ્ટન વિક્રમ બત્રાલેફ્ટનન્ટ મનોજ કુમાર પાંડે જેવા વીરોએ પોતાની બહાદુરી દેખાડીને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો હતો. તે યુદ્ધમાં આ વીર જવાનો મા ભારતી માટે શહીદ થયા હતા.

Latest Stories