-
વડોદરા ક્રોકોડાઇલ સિટી બનશે
-
વિશ્વામિત્રી નદીમાં મગરોનું સામ્રાજ્ય
-
વૈજ્ઞાનિક ઢબે હાથ ધરાય ગણતરી
-
નદીમાં કુલ 417 મગરો નોંધાયા
-
MS યુનિવર્સિટી દ્વારા ગણતરી કરાઈ
વડોદરાની મધ્યમાંથી વહેતી વિશ્વામિત્રી નદીમાં કુલ 417 મગરો નોંધાયા છે. નવાઈની વાત તો એ છે કે, નરહરિ હોસ્પિટલથી કાલાઘોડા વચ્ચેના માત્ર 2 કિમીના પટમાં જ 103 મગરો બિરાજમાન છે.
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં રહેલા મગરોની ગણતરી 7 ફેબ્રુઆરી, 2026ના રોજ કરવામાં આવી હતી, જેમાં વિશ્વામિત્રી નદીમાં 417 મગરો હોવાનું સામે આવ્યું છે. નરહરિ હોસ્પિટલથી કાલાઘોડા વચ્ચેના 2 કિમીના વિસ્તારમાં સૌથી વધુ 103 મગરો જોવા મળ્યા હતા. 2025 કરવામાં આવેલી મગરની ગણતરીમાં 442 મગરોની ગણતરી કરવામાં આવી હતી. જોકે તે સમયે શહેરના તળાવોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વખતે તળાવોનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
MS યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના ઝૂઓલોજી વિભાગના નિષ્ણાંતોના મતે આ વખતે મગરોની જે ગણતરી થઈ તે ખૂબ જ અત્યંત ઝીણવટભરી અને સઘન હતી.
