વડોદરા: પવનના જોર સાથે વરસેલા વરસાદમાં પતરાનો શેડ તૂટી પડતા બાળકીનું મોત

શ્રમજીવીઓ શેડ બનાવીને વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક રહેતા હતા. ગતરોજ સાંજે ભારે પવન સાથે પડેલા વરસાદમાં શેડ તૂટીને પડતા બાળકો સહિત આઠ શ્રમજીવીઓને ઇજા પહોંચી

New Update

વડોદરામાં સર્જાઈ દુર્ઘટના

વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસેની ઘટના 

વરસાદમાં સિમેન્ટનો શેડ થયો જમીનદોસ્ત 

મજૂરી કરતા શ્રમજીવીઓ કાટમાળ નીચે દબાયા 

એક બાળકીનું મોત,આઠ ઈજાગ્રસ્ત

વડોદરામાં વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક વરસાદમાં સિમેન્ટના પતરાનો શેડ તૂટીને પડતા એક બાળકી મોતને ભેટી હતી,જ્યારે આઠ લોકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું.

વડોદરામાં પવનના જોર સાથે વરસેલા વરસાદમાં વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક સિમેન્ટના પતરાનો શેડ તૂટીનેપડતા પાંચબાળકો સહિત આઠ શ્રમજીવીઓને ઇજા થઇ હતી. રેલવે ટ્રેકના રિપેરિંગ સહિતના કામની મજૂરી માટે વડોદરા આવેલા દાહોદના શ્રમજીવીઓ શેડ બનાવીને વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક રહેતા હતા. ગતરોજ સાંજે ભારે પવન સાથે પડેલા વરસાદમાં શેડ તૂટીનેપડતા બાળકો સહિત આઠ શ્રમજીવીઓને ઇજા પહોંચી હતી.

તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. તેઓની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું હતું.આ દુર્ઘટનામાં એક બાળકીનું મોત નીપજ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.