વડોદરા: નવલખી મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો, વિદેશી પતંગ રસિયાઓએ લીધો ભાગ

નવલખી મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 12 દેશનાં 38 અને દેશનાં પાંચ રાજ્યના 13 પતંગબાજો સહિત રાજ્યના પતંગબાજોએ ભારે આકર્ષણ જમાવ્યુ..

author-image
By Connect Gujarat Desk
New Update
  • નવલખી મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન

  • વન નેશન વન ઇલેક્શનની થીમે આકર્ષણ જમાવ્યુ

  • દેશ વિદેશના પતંગ રસિકોએ લીધો ભાગ

  • 96 પતંગબાજોએ અવનવી પતંગ ઉડાવી

  • રંગબેરંગી પતંગોથી નવલખી મેદાન રંગાયું  

વડોદરા શહેરના નવલખી મેદાનમાં આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ પતંગોત્સવનો હિસ્સો બનવા માટે વિદેશોમાંથી રસિયાઓ આવી પહોંચ્યા હતા.તેમજ પતંગ ચગાવવામાં વિદેશી મહેમાનો મશગુલ થયા હતા.અને આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું ગયું હતું.

વડોદરા શહેરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શહેરના નવલખી મેદાન ખાતે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પતંગ મહોત્સવમાં 12 દેશનાં 38 અને દેશનાં પાંચ રાજ્યના 13 પતંગબાજો સહિત રાજ્યના પતંગબાજોએ ભારે આકર્ષણ જમાવ્યુ હતું. આ મહોત્સવમાં ખાસ કરીને વન નેશન વન ઇલેક્શન અને વડોદરાના યુવકની દોરી વગરના પતંગે ભારે આકર્ષણ જમાવ્યુ હતું.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પતંગ મહોત્સવમાં જાપાનકોરિયા ઈજીપ્તકોલમ્બિયાફ્રાંસ મોરેશિયસમેક્સિકોફિલિપાઇન્સરોમાનિયા સહિત 12 દેશોના 38 વિદેશી પતંગબાજો સાથે વડોદરાગુજરાત અને દેશના જુદા જુદા રાજ્યના 45 મળી કુલ 96 પતંગબાજોએ ભાગ લીધો હતો. આ પતંગ મહોત્સવમાં અવનવી ડિઝાઇન આકારની રંગબેરંગી અને આકર્ષક પતંગોએ નવલખી મેદાનને રંગી નાખ્યું હતું.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.