ખિલાડીઓ કે ખિલાડી અક્ષયકુમારની સંસ્કારીનગરી વડોદરામાં એન્ટ્રી, જુઓ ખિલાડીએ આજના યુવાધનને શુ કહ્યું..?

ખિલાડીઓ કે ખિલાડી બૉલીવુડ અભિનેતા અક્ષયકુમાર સંસ્કારીનગરી વડોદરાના મહેમાન બન્યા હતા, ત્યારે આજના યુવાધનને ડ્રગ્સના દુષણથી દૂર રહેવા અક્ષયકુમાર અપીલ કરી હતી.

New Update
  • ખિલાડીઓ કે ખિલાડી અક્ષયકુમાર બન્યા સંસ્કારીનના મહેમાન

  • વડોદરાની એક કંપનીના બન્યા છે તેઓ બ્રાન્ડ એમ્બેસેડર

  • કંપનીના કાર્યક્રમમાં અક્ષયકુમારે આપી પોતાની પ્રતિક્રિયા

  • આજના યુવાધનને ડ્રગ્સના દુષણથી દૂર રહેવા અપીલ કરી

  • ડ્રગ્સ વિરોધી 2-3 એડ ફિલ્મ પણ બનાવીશું : અક્ષયકુમાર

ખિલાડીઓ કે ખિલાડી બૉલીવુડ અભિનેતા અક્ષયકુમાર સંસ્કારીનગરી વડોદરાના મહેમાન બન્યા હતા, ત્યારે આજના યુવાધનને ડ્રગ્સના દુષણથી દૂર રહેવા અક્ષયકુમાર અપીલ કરી હતી.
બૉલીવુડ ફિલ્મ અભિનેતા ખિલાડીઓ કે ખિલાડી અક્ષયકુમાર વડોદરાની એક પ્રાઇવેટ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયા છે, ત્યારે તેઓ સંસ્કારીનગરી વડોદરા આવ્યા હતા. આ પ્રસંગે તેઓએ ડ્રગ્સ વિશે પોતાની પ્રતિક્રિયા આપી જણાવ્યું હતું કે, હાલ દેશમાં ડ્રગ્સ મોટાપાયે યુવાધનને નુકશાન પહોંચાડી રહ્યું છે. તેના ઉપર રોક લગાવવી જ જોઈએ. આગામી દિવસોમાં ડ્રગ્સના દુષણ સામે 2-3 એડ ફિલ્મ કરવા અનહે પણ તેઓએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ ફિટનેસ અંગે પણ સતર્ક રહેવા માટે લોકોને શીખ આપી હતી. તેઓ કંપની ખાતે મુલાકાતે ગયા હતા દરમિયાન કર્મચારીઓ સાથે પણ વાતચીત કરી હતી, અને જ્યાં ત્યાં ગુટખાની પિચકારીઓ ન મારવા માટેની પણ સલાહ આપી હતી.
#Gujarat #CGNews #Vadodara #Akshay Kumar #Bollywood Actor #Visit
Latest Stories
Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર ન...

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.