ખિલાડીઓ કે ખિલાડી અક્ષયકુમારની સંસ્કારીનગરી વડોદરામાં એન્ટ્રી, જુઓ ખિલાડીએ આજના યુવાધનને શુ કહ્યું..?

ખિલાડીઓ કે ખિલાડી બૉલીવુડ અભિનેતા અક્ષયકુમાર સંસ્કારીનગરી વડોદરાના મહેમાન બન્યા હતા, ત્યારે આજના યુવાધનને ડ્રગ્સના દુષણથી દૂર રહેવા અક્ષયકુમાર અપીલ કરી હતી.

New Update
  • ખિલાડીઓ કે ખિલાડી અક્ષયકુમાર બન્યા સંસ્કારીનના મહેમાન

  • વડોદરાની એક કંપનીના બન્યા છે તેઓ બ્રાન્ડ એમ્બેસેડર

  • કંપનીના કાર્યક્રમમાં અક્ષયકુમારે આપી પોતાની પ્રતિક્રિયા

  • આજના યુવાધનને ડ્રગ્સના દુષણથી દૂર રહેવા અપીલ કરી

  • ડ્રગ્સ વિરોધી 2-3 એડ ફિલ્મ પણ બનાવીશું : અક્ષયકુમાર

ખિલાડીઓ કે ખિલાડી બૉલીવુડ અભિનેતા અક્ષયકુમાર સંસ્કારીનગરી વડોદરાના મહેમાન બન્યા હતા, ત્યારે આજના યુવાધનને ડ્રગ્સના દુષણથી દૂર રહેવા અક્ષયકુમાર અપીલ કરી હતી.
બૉલીવુડ ફિલ્મ અભિનેતા ખિલાડીઓ કે ખિલાડી અક્ષયકુમાર વડોદરાની એક પ્રાઇવેટ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયા છે, ત્યારે તેઓ સંસ્કારીનગરી વડોદરા આવ્યા હતા. આ પ્રસંગે તેઓએ ડ્રગ્સ વિશે પોતાની પ્રતિક્રિયા આપી જણાવ્યું હતું કે, હાલ દેશમાં ડ્રગ્સ મોટાપાયે યુવાધનને નુકશાન પહોંચાડી રહ્યું છે. તેના ઉપર રોક લગાવવી જ જોઈએ. આગામી દિવસોમાં ડ્રગ્સના દુષણ સામે 2-3 એડ ફિલ્મ કરવા અનહે પણ તેઓએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ ફિટનેસ અંગે પણ સતર્ક રહેવા માટે લોકોને શીખ આપી હતી. તેઓ કંપની ખાતે મુલાકાતે ગયા હતા દરમિયાન કર્મચારીઓ સાથે પણ વાતચીત કરી હતી, અને જ્યાં ત્યાં ગુટખાની પિચકારીઓ ન મારવા માટેની પણ સલાહ આપી હતી.
#Gujarat #CGNews #Vadodara #Akshay Kumar #Bollywood Actor #Visit
Latest Stories
Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, ...

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.