Connect Gujarat
વડોદરા 

જિંદગી ડૂબાડતી બેદરકારી: વડોદરા તળાવ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી મોદીએ પણ દુઃખ વ્યક કરી સહાયની કરી જાહેરાત

જિંદગી ડૂબાડતી બેદરકારી: વડોદરા તળાવ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી મોદીએ પણ દુઃખ વ્યક કરી સહાયની કરી જાહેરાત
X

શહેરના હરણી તળાવમાં પ્રવાસમાં આવેલા સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓની બોટ પલટી ગઈ હતી. આ બોટમાં સવાર વિદ્યાર્થીઓ ડૂબી ગયા હતા. આ બોટમાં 23 જેટેલા બાળકો સવાર હતા. આ કરુણ ઘટનામાં કુલ 14 લોકોના મોત થયા છે. જેમાં 13 બાળકો અને બે શિક્ષકોનો સમાવેશ છે.

આ ઘટનાને લઈને સમગ્ર વડોદરા સહિત ગુજરાતમાં દુ:ખની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે. જેને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વિટ કરીને સંવેદના વ્યક્ત કરી હતી. ત્યારે હવે આ ઘટના પર પીએમઓ તરફથી એક ટ્વિટ કરવામાં આવ્યું છે.



વડોદરામાં બનેલી આ દુર્ઘટના પર પીએમઓ તરફથી પણ ટ્વિટ કરવામાં આવ્યું છે. જેમાં લખ્યું છે કે, વડોદરાના હરણી તળાવમાં હોડી પલટવાથી થયેલી જાનહાનિથી વ્યથિત છું. દુખની આ ઘડીમાં મારી સંવેદનાઓ શોક સંતપ્ત પરિવારો સાથે છે. ઘાયલોને શીધ્ર સ્વસ્થ થાય. સ્થાનિક પ્રશાસન પ્રભાવિત લોકોને દરેક સંભવ મદદ આપી રહ્યા છે. તેમની સાથે જ પીએમઓ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે, દરેક મૃતકના પરિવારજનને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 ની આર્થિક સહાય કરવામાં આવશે.





Next Story