જિંદગી ડૂબાડતી બેદરકારી: વડોદરા તળાવ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી મોદીએ પણ દુઃખ વ્યક કરી સહાયની કરી જાહેરાત

New Update
જિંદગી ડૂબાડતી બેદરકારી: વડોદરા તળાવ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી મોદીએ પણ દુઃખ વ્યક કરી સહાયની કરી જાહેરાત

શહેરના હરણી તળાવમાં પ્રવાસમાં આવેલા સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓની બોટ પલટી ગઈ હતી. આ બોટમાં સવાર વિદ્યાર્થીઓ ડૂબી ગયા હતા. આ બોટમાં 23 જેટેલા બાળકો સવાર હતા. આ કરુણ ઘટનામાં કુલ 14 લોકોના મોત થયા છે. જેમાં 13 બાળકો અને બે શિક્ષકોનો સમાવેશ છે.

આ ઘટનાને લઈને સમગ્ર વડોદરા સહિત ગુજરાતમાં દુ:ખની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે. જેને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વિટ કરીને સંવેદના વ્યક્ત કરી હતી. ત્યારે હવે આ ઘટના પર પીએમઓ તરફથી એક ટ્વિટ કરવામાં આવ્યું છે.



વડોદરામાં બનેલી આ દુર્ઘટના પર પીએમઓ તરફથી પણ ટ્વિટ કરવામાં આવ્યું છે. જેમાં લખ્યું છે કે, વડોદરાના હરણી તળાવમાં હોડી પલટવાથી થયેલી જાનહાનિથી વ્યથિત છું. દુખની આ ઘડીમાં મારી સંવેદનાઓ શોક સંતપ્ત પરિવારો સાથે છે. ઘાયલોને શીધ્ર સ્વસ્થ થાય. સ્થાનિક પ્રશાસન પ્રભાવિત લોકોને દરેક સંભવ મદદ આપી રહ્યા છે. તેમની સાથે જ પીએમઓ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે, દરેક મૃતકના પરિવારજનને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 ની આર્થિક સહાય કરવામાં આવશે.





Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.