વડોદરા: અક્ષય પાત્ર ફાઉન્ડેશનના કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવામાં આવતા વિરોધ પ્રદર્શન

અક્ષયપાત્ર ફાઉન્ડેશનના કર્મચારીઓ છેલ્લા કેટલાય દિવસથી પોતાની લડત આપી રહ્યાં છે.આજરોજ તેઓ દ્વારા કલેક્ટર કચેરીની બહાર ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું

New Update
  • અક્ષય પાત્ર ફાઉન્ડેશનના કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન 

  • સરકારી કચેરીઓમાં કરતા હતા કામ 

  • કોન્ટ્રાકટ હેઠળ કામ કરતા કર્મચારીઓને નોકરીમાંથી કર્યા છુટા 

  • કર્મચારીઓએ ધારણા પ્રદર્શન કરી નોકરીની કરી માંગ 

  • કમર્ચારીઓએ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર 

વડોદરા ખાતે ધ અક્ષય પાત્ર ફાઉન્ડેશનના કર્મચારીઓ સરકારી કચેરીમાં નોકરી કરતા હતા,પરંતુ તેમને નોકરીમાંથી છૂટા કરવામાં આવતા કર્મચારીઓએ ધરણા પર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.  

વડોદરા ખાતે ધ અક્ષય પાત્ર ફાઉન્ડેશનના કર્મચારીઓને સરકારી કચેરીઓમાં નોકરી આપવામાં આવી હતી,પરંતુ કોઇ કારણોસર આ કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે. કોન્ટ્રાકટ હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા પરત લેવાની માંગ સાથે ધરણા કરવામાં આવી રહ્યા છે.

અક્ષયપાત્ર ફાઉન્ડેશનના કર્મચારીઓ છેલ્લા કેટલાય દિવસથી પોતાની લડત આપી રહ્યાં છે.આજરોજ તેઓ દ્વારા કલેક્ટર કચેરીની બહાર ધરણા કાર્યક્રમ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.તેઓની માંગણી છે કે તેઓને નિયમિત પગાર આપવામાં આવે અને ફરજ પર પરત લેવામાં આવે. 

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.