વડોદરામાં સંકલ્પ દિવસ નિમિત્તે મુલાકાત લેતા કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી રામદાસ આઠવલે

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલે આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. તેમની આ મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા.

New Update

વડોદરાની મુલાકાત લેતા કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી 

સંકલ્પ દિવસે મંત્રી રામદાસ આઠવલેએ લીધી મુલાકાત 

મંત્રી આઠવલેએ વિવિધ કાર્યક્રમોમાં આપી હાજરી 

મંત્રીએ સંકલ્પ ભૂમિની પણ કરી મુલાકાત 

અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજી 

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલે આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. તેમની આ મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સરકીટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને તેઓ સંકલ્પ ભૂમિની મુલાકાતે ગયા હતા.ત્યારબાદ  સંકલ્પથી સંવિધાન કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યકક્ષાના મંત્રી રામદાસ આઠવલેએ આજે સંકલ્પ દિવસ નિમિત્તે વડોદરાના પ્રવાસે આવ્યા હતા.તેમણે વડોદરા જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા સહિત સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.અને શહેર જિલ્લાની વિગતો મેળવી હતી.ત્યારબાદ સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી  રામદાસ આઠવલેએ પત્રકાર પરિષદ યોજીને પત્રકારો સાથે વાતચીત કરતા તેઓએ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા,અને તેમનો પાસપોર્ટ રદ કરવો જોઈએનું જણાવ્યું હતું.વધુમાં આઠવલે પંજાબમાં બીજેપી પ્રેરિત સરકાર આવશે અને મહારાષ્ટ્રની  આગામી ચૂંટણીમાં બીજેપી અને સાથી પક્ષોની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.