વડોદરા : ડૂબતા સૂરજ સાથે કેનાલની સેલ્ફી લેવા જતાં 2 વિદ્યાર્થી ડૂબ્યા, એકનો આબાદ બચાવ, અન્યની શોધખોળ…

છાણી ટીપી-13માં રેલ્વે ગરનાળા નજીક નર્મદા કેનાલ પર ગત રવિવારે સાંજે સાઇકલિંગ કરવા નીકળેલા ધો.11 અને 12ના 2 વિદ્યાર્થી સેલ્ફી લેવા જતાં કેનાલમાં પડ્યા હતા.

New Update
વડોદરા : ડૂબતા સૂરજ સાથે કેનાલની સેલ્ફી લેવા જતાં 2 વિદ્યાર્થી ડૂબ્યા, એકનો આબાદ બચાવ, અન્યની શોધખોળ…

વડોદરા શહેરના છાણી ટીપી-13માં રેલ્વે ગરનાળા નજીક નર્મદા કેનાલ પર ગત રવિવારે સાંજે સાઇકલિંગ કરવા નીકળેલા ધો.11 અને 12ના 2 વિદ્યાર્થી સેલ્ફી લેવા જતાં કેનાલમાં પડ્યા હતા. જેમાં એક વિદ્યાર્થીને સ્થાનિકોએ બચાવી લીધો હતો, જ્યારે બીજાની શોધખોળ હજુ જારી છે.

મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલ ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતો અને ડીઆર પટેલ સ્કૂલમાં ધો-12માં અભ્યાસ કરતો દેવ મોરે તેના વિસ્તારમાં સર્વોદય સોસાયટીમાં રહેતા અને ધો-11માં અભ્યાસ કરતાં તેના મિત્ર પ્રભદેવસિંગ સાથે ગત રવિવારે સાંજે 6 વાગે ઘરેથી નીકળી છાણી કેનાલ પાસે સાઇકલિંગ કરવા ગયા હતા. આ દરમિયાન તેઓ સાંજે ડૂબતા સૂરજ સાથે કેનાલની સેલ્ફી લેવા સાઇકલ સાથે કેનાલની પાળી પર ચઢીને ઉભા રહ્યા હતા. આ દરમિયાન ત્યાંથી એક પૂર ઝડપે કાર પસાર થઈ હતી. જેથી બન્ને અચાનક ડરી જતાં કેનાલમાં 10 ફૂટ ઊંડા પાણીમાં ખાબક્યા હતા. આ દરમ્યાન બન્ને વિદ્યાર્થીઓને ડૂબતા જોઈ નજીકમાં રહેતા શ્રમજીવીઓ દોડી આવ્યા હતા. જેમાં શ્રમજીવિઓએ બન્ને વિદ્યાર્થીઓને બચાવવા માટે પાણીમાં સાડી ફેંકી હતી. પરંતુ, સાડી ટૂંકી પડતા એક શ્રમજીવી કેનાલમાં કૂદ્યો હતો, અને પ્રભદેવસિંગને બચાવી લીધો હતો, જ્યારે દેવ મોરેનો પત્તો લાગ્યો ન હતો. બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રાત્રે અંધારું થઈ જતાં લાશ્કરોએ ફ્લડ લાઇટ લગાવી વિદ્યાર્થીની શોધખોળ કરી હતી. જોકે, તેનો પત્તો લાગ્યો નહોતો, પરંતુ પાણીમાંથી વિદ્યાર્થીઓની સાઇકલ મળી આવી હતી.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.