વડોદરા: 48 વર્ષીય મહિલાના અંગોના દાન થકી અન્યોને મળશે નવજીવન

વડોદરાના આજવા રોડ પર આવેલ ત્રીજી હોસ્પિટલમાં મહિલા બ્રેન ડેડ જાહેર થતાં પરિવારજનો દ્વારા તેમના અંગોનો દાન કરવાનો સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો હતો 

New Update
  • વડોદરામાં મહિલા બ્રેન ડેડ જાહેર થઈ

  • પરિવારજનો દ્વારા લેવામાં આવ્યો સરાહનીય નિર્ણય

  • મહિલાના અંગોનું કરવામાં આવશે દાન

  • લીવર, કિડની, હાર્ટ અને 2 આંખોનું કરાશે દાન

  • અન્ય લોકોને મળશે નવજીવન

વડોદરાના આજવા રોડ પર આવેલ ત્રીજી હોસ્પિટલમાં મહિલા બ્રેન ડેડ જાહેર થતાં પરિવારજનો દ્વારા તેમના અંગોનો દાન કરવાનો સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો હતો  વડોદરાના આજવા રોડ પર આવેલી શ્રીજી હોસ્પિટલમાં મહિલા બ્રેઈન હેમરેજની સારવાર લઈ રહી હતી. સારવાર દરમિયાન તે બ્રેઈન ડેડ થતાં પરિવારે તેઓના અંગ દાન કરવાનું નક્કી કર્યું હતું.
જેથી મહિલાનું લીવર, કિડની, હાર્ટ અને 2 આંખોનું ડોનેશન કરવામાં આવ્યું હતું. આ અંગો સુરત અને અમદાવાદ જરૂરીયાતમંદ દર્દીઓને મળશે. આ માટે પોલીસ દ્વારા ગ્રીન કોરીડોર પણ બનાવવામાં આવ્યો હતો.48 વર્ષીય મહિલાને બ્રેઈન હેમરેજ થતાં 2 ગાઠ થતા તેઓે ઓપરેશન માટે દાખલ થયા હતા.
તેઓની છેલ્લા 10 દિવસથી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ત્યારે મહિલા ગુરુવારે રાત્રે બેઈન ડેડ થયા હતા.
મહિલાનું મૃત્યું થતાં  પરિવારમાં આઘાતમાં સરી ગયો હતો. જોકે હોસ્પિટલના સ્ટાફે પરિવારે અંગદાન માટે સમજવ્યું હતું અને તે અંગે જાણકારી આપી હતી. પરિવાર અંગદાન માટે તૈયાર થયું હતું. પરિવાર તૈયાર થતાં મહિલાનું લીવર, કિડની, હાર્ટ અને 2 આંખોનું દાન કરાયું હતું.
Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.