વડોદરા: 48 વર્ષીય મહિલાના અંગોના દાન થકી અન્યોને મળશે નવજીવન

વડોદરાના આજવા રોડ પર આવેલ ત્રીજી હોસ્પિટલમાં મહિલા બ્રેન ડેડ જાહેર થતાં પરિવારજનો દ્વારા તેમના અંગોનો દાન કરવાનો સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો હતો 

New Update
  • વડોદરામાં મહિલા બ્રેન ડેડ જાહેર થઈ

  • પરિવારજનો દ્વારા લેવામાં આવ્યો સરાહનીય નિર્ણય

  • મહિલાના અંગોનું કરવામાં આવશે દાન

  • લીવર, કિડની, હાર્ટ અને 2 આંખોનું કરાશે દાન

  • અન્ય લોકોને મળશે નવજીવન

વડોદરાના આજવા રોડ પર આવેલ ત્રીજી હોસ્પિટલમાં મહિલા બ્રેન ડેડ જાહેર થતાં પરિવારજનો દ્વારા તેમના અંગોનો દાન કરવાનો સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો હતો  વડોદરાના આજવા રોડ પર આવેલી શ્રીજી હોસ્પિટલમાં મહિલા બ્રેઈન હેમરેજની સારવાર લઈ રહી હતી. સારવાર દરમિયાન તે બ્રેઈન ડેડ થતાં પરિવારે તેઓના અંગ દાન કરવાનું નક્કી કર્યું હતું.
જેથી મહિલાનું લીવર, કિડની, હાર્ટ અને 2 આંખોનું ડોનેશન કરવામાં આવ્યું હતું. આ અંગો સુરત અને અમદાવાદ જરૂરીયાતમંદ દર્દીઓને મળશે. આ માટે પોલીસ દ્વારા ગ્રીન કોરીડોર પણ બનાવવામાં આવ્યો હતો.48 વર્ષીય મહિલાને બ્રેઈન હેમરેજ થતાં 2 ગાઠ થતા તેઓે ઓપરેશન માટે દાખલ થયા હતા.
તેઓની છેલ્લા 10 દિવસથી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ત્યારે મહિલા ગુરુવારે રાત્રે બેઈન ડેડ થયા હતા.
મહિલાનું મૃત્યું થતાં  પરિવારમાં આઘાતમાં સરી ગયો હતો. જોકે હોસ્પિટલના સ્ટાફે પરિવારે અંગદાન માટે સમજવ્યું હતું અને તે અંગે જાણકારી આપી હતી. પરિવાર અંગદાન માટે તૈયાર થયું હતું. પરિવાર તૈયાર થતાં મહિલાનું લીવર, કિડની, હાર્ટ અને 2 આંખોનું દાન કરાયું હતું.
Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.