વડોદરા : સયાજી હોસ્પિટલના ENT વિભાગના ACમાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી

વડોદરાની સયાજી હોસ્પિટલમાં વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આ આગ ઓટી બિલ્ડિંગના બીજા માળે આવેલા ENT વિભાગના ACમાં લાગી હતી.

New Update

મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલના ENT વિભાગના ઓપરેશન થિયેટરમાં અચાનક આગ ફાટી નીકળતા સારવાર લઈ રહેલા દર્દીઓના જીવ તાળવે ચોંટ્યા હતા.

વડોદરાની સયાજી હોસ્પિટલમાં વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આ આગ ઓટી બિલ્ડિંગના બીજા માળે આવેલા ENT વિભાગના ACમાં લાગી હતી. જેનાથી આખા રૂમનું વાયરિંગ સળગતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. આગથી હોસ્પિટલ સ્ટાફમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા

જ્યાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. ફાયર વિભાગની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કેશોર્ટ સર્કિટના કારણે ACમાં બ્લાસ્ટ થતાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. જોકેઆગના બનાવના પગલે દર્દીઓમાં ભયનો માહોલ સર્જાયો હતોઅને તેઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.