વડોદરા: તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

દેશના રાષ્ટ્રીય પર્વને અનુલક્ષીને ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વડોદરામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

New Update

દેશના રાષ્ટ્રીય પર્વને અનુલક્ષીને ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વડોદરામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

દેશની આઝાદીના 78માં અણમોલ અવસરની ઉજવણીની શરૂઆત  વડોદરાના નવલખી મેદાન ખાતેથી નીકળેલી ભવ્ય ત્રિરંગા યાત્રા કિર્તી સ્થંભ, રાજમહેલ રોડ, ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા, શહિદ ભગતસિંહ ચોક, સુરસાગર થઇ મહાત્મા ગાંધી નગર ગૃહ ખાતે સંપન્ન થઇ હતી. આ ત્રણ કિલોમીટરના અંતરમાં બે કિલોમીટરની ભવ્ય ત્રિરંગા યાત્રા માર્ગો ઉપર નીકળી હતી. આ યાત્રાની શરુઆત ‘ભારત માતા કી જય’ અને આઝાદીના ગીતો સાથે થઈ હતી. નવલખી મેદાન ખાતેથી નીકળેલી ભવ્યાથી ભવ્ય તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ત્રિરંગા સાથે જોડાયા હતા. આઝાદીના ગીતો સાથે નીકળેલી તિરંગા યાત્રાના પગલે સમગ્ર શહેર દેશભક્તિમાં રંગાઈ ગયું હતું. આ ત્રિરંગા યાત્રાને રાજ્યના ગૃહ મંત્રીએ ત્રિરંગો ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.
Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.