Connect Gujarat
વડોદરા 

વડોદરા : વાઘોડિયા નજીક દશામાઁના મઢે સાંઢણીની ડાબી આંખમાંથી વહેતી ઘીની ધારા.. જાણો અનેરું મહત્વ

દશામાઁના વ્રત નિમિત્તે દર વર્ષે સાંઢણીની ડાબી આંખ માંથી ઘીની ધારા વહે છે ત્યારે હજારો શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરવા ઉમટી પડે છે.

X

વડોદરા શહેરના વાઘોડિયા રોડ ડી-માર્ટની સામે મનન પાર્ક દશામાનો 35 વર્ષ જૂનો મઢ આવેલો છે. જેમાં દશામાઁના વ્રત નિમિત્તે દર વર્ષે સાંઢણીની ડાબી આંખ માંથી ઘીની ધારા વહે છે ત્યારે હજારો શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરવા ઉમટી પડે છે.

વડોદરા શહેરના વાઘોડિયા રોડ ડી-માર્ટની સામે મનન પાર્ક દશામાઁનો મઢ આવેલો છે, ૩૫ વર્ષથી માતાજી આરાધના કરવામાં આવે છે. દશામાઁના મઢમાં દર વર્ષે દશામાઁની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. જ્યાં સાંઢણીની ડાબી આંખમાંથી ઘીની ધારા વહે છે. માઁનો પરચો વર્ષ દરમિયાન મંગળવાર અને રવિવાર એ કંકુ વહે છે. દશામાઁ અહી સીતામાના રૂપે પધાર્યા છે.

એક ધાર્મિક માન્યતા મુજબ વર્ષો પહેલા બોડેલીમાં રહેતા એક મુસ્લિમ અબ્દુલભાઇને રાતે સ્વપનું આવ્યું હતું. જ્યાં મંદિરની સામે આવેલ મુખ્ય માર્ગ પર ખાડો કરતા ખાડામાંથી મહાકાલીમાઁ, મેલડીમાઁ, નાગદેવતા, અંબેમાઁ સહિતની માતાજીની મૂર્તિ નીકળી હતી. જે મૂર્તિઓ આજે પંચમંદિરમાં સ્થાપના કરવામા આવી છે. દૂર-દૂરથી ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. નિઃસંતાનને સંતાન પ્રાપ્તિ થાય છે. લોકોના દુઃખડા માતાજી ભાંગે છે. ત્યારે બીજી તરફ દશામાની દસ દિવસની ઉજવણી કરાઇ રહી છે.

Next Story