Connect Gujarat
વડોદરા 

વડોદરા : મિત્રના ફ્લેટના પાંચમાં માળેથી વિદ્યાર્થીએ ઝંપલાવ્યું, આપઘાત મામલે પોલીસ તપાસ શરૂ...

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં ડીપ્લોમા મિકેનીકલ એન્જિનીયરીંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.

X

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં ડીપ્લોમા મિકેનીકલ એન્જિનીયરીંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. જોકે, મિત્રના ફ્લેટના પાંચમાં માળેથી વિદ્યાર્થીએ પડતું મુકતા ગોત્રી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરાના ગોત્રી વિસ્તારના ગોકુળનગરમાં રહેતો 17 વર્ષીય મયુર ક્રિષ્ણા શીર્ષદ મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં ડીપ્લોમા મિકેનીકલ એન્જિનીયરીંગમાં અભ્યાસ કરતો હતો. મોડી સાંજે તે ગોત્રી રોડ પર આવેલ શિવાલય હાઇટ્સમાં રહેતા મિત્રને મળવા ગયો હતો, અને તે મિત્રને મળે તે પહેલાં શિવાલય હાઇટ્સના ડી-બ્લોકના પાંચમાં માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. સાંજે 7 વાગ્યાના સુમારે પાર્કિંગમાં પડવાનો અવાજ આવતા જ બિલ્ડીંગમાં રહેતા મયુરનો મિત્ર અને પરિવાર સહિત બિલ્ડીંગના રહીશો દોડી આવ્યા હતા. ઘટનાના પગલે મયુરના પરિજનોને કરાતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા, જ્યાં માતા તેમજ ભાઇ-બહેનના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. બનાવની જાણ થતાં જ ગોત્રી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે, મિત્રના ફ્લેટના પાંચમાં માળેથી ઝંપલાવીને વિદ્યાર્થીએ કયા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story