Connect Gujarat
વડોદરા 

વડોદરા: હાઈ પ્રોફાઈલ કથિત બળાત્કાર કેસમાં આરોપી રાજુ ભટ્ટના જામીન નામંજૂર

હાઈ પ્રોફાઇલ બળાત્કાર કેસ કે જેમાં પાવાગઢના પૂર્વ ટ્રસ્ટી અને એક નામાંકિત સી.એ. સંડોવાયેલા હતા તે કેસમાં ફરિયાદી હોસ્ટાઇલ થયા બાદ જેલવાસ ભોગવી રહેલ પાવાગઢના પૂર્વ ટ્રસ્ટી દ્વારા જામીન અરજી મુકવામાં આવી હતી.

વડોદરા: હાઈ પ્રોફાઈલ કથિત બળાત્કાર કેસમાં આરોપી રાજુ ભટ્ટના જામીન નામંજૂર
X

હાઈ પ્રોફાઇલ બળાત્કાર કેસ કે જેમાં પાવાગઢના પૂર્વ ટ્રસ્ટી અને એક નામાંકિત સી.એ. સંડોવાયેલા હતા તે કેસમાં ફરિયાદી હોસ્ટાઇલ થયા બાદ જેલવાસ ભોગવી રહેલ પાવાગઢના પૂર્વ ટ્રસ્ટી દ્વારા જામીન અરજી મુકવામાં આવી હતી. જે કોર્ટે નામંજૂર કરી છે. રાજુ ભટ્ટે હજુ જેલવાસ જ ભોગવવો પડશે.

વડોદરા શહેરના ગોત્રી પોલીસ મથકમાં મૂળ હરિયાણાની અને પારુલ યુનિવર્સીટીમાં અભ્યાસ કરતી યુવતીનો પ્રથમ વર્ષનો અભ્યાસ પૂર્ણ થતાં લાઇઝનિંગની તાલીમ અર્થે ચકલી સર્કલ સ્થિત એક કંપની ખાતે લેન્ડ લો ટ્રેનિંગ પ્રોજેક્ટમાં કામ કરી રહી હતી. આ કંપનીના મલિક અશોકે જૈને યુવતીને રહેવા માટે ભાડેથી ફ્લેટ અપાવ્યો હતો. અને ત્યાં આ યુવતી ઉપર કંપનીના મલિક અશોક જૈન તથા પાવાગઢ ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુ ભટ્ટ કે જેઓ અશોક જૈનના કલાઇન્ટ છે તેઓએ યુવતી સાથે વર્ષ 2021 માં કથિત રીતે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની ફરિયાદ યુવતીએ ગોત્રી પોલીસ મથકમાં નોંધાવી હતી જે તે સમયે ગૃહ મંત્રાલય સુધી પહોંચેલ આ મામલો ક્રાઇમ બ્રાન્ચ પાસે પહોંચ્યો હતો. અને તેના આધારે પોલીસે આ બંનેની અટકાયત કરી હતી. પોલીસે આ મામલે ચાર્જશીટ દાખલ કરી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો અને તે હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ મામલો કોર્ટમાં ચાલવા ઉપર આવતા ફરિયાદીની જુબાની લેવામાં આવી હતી. જેમાં તે હોસ્ટાઇલ થઇ હતી. જે બાદ પાવાગઢ ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટ દ્વારા તેના વકીલ મારફતે જામીન અરજી મુકવામાં આવી હતી જેના ઉપર અનેક દલીલો થયા બાદ આજરોજ કોર્ટે ચુકાદો આપ્યો હતો અને રાજુ ભટ્ટના જામીન નામંજૂર કર્યા હતા.

Next Story