વડોદરા: બસ પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ હવે તેના ઠેકાણા ન રહેતા નાણાના વેડફાટનો કરવામાં આવ્યો આક્ષેપ

વડોદરા કોર્પોરેશનના અધિકારી પદઅધિકારી શહેરની ઐતિહાસિક ધરોહરની ઝાંખી થકી વડોદરાને આગવી ઓળખ આપવા પ્રયાસ કરી રહ્યા છે.

New Update
વડોદરા: બસ પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ હવે તેના ઠેકાણા ન રહેતા નાણાના વેડફાટનો કરવામાં આવ્યો આક્ષેપ

ઐતિહાસિક ધરોહરોના વારસા સાથે વડોદરાને દેશમાં આગવી ઓળખ અપાવવાની વાતો વચ્ચે સીટી ઇન્ફર્મેશન સેન્ટર અને વડોદરા દર્શન બસ પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ હવે તેના ઠેકાણા ન રહેતા નાણાના વેડફાટ સાથે વડોદરા કોર્પોરેશનની લાલિયાવાડી છતી થવા પામી હોવાના સામાજિક કાર્યકર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે

વડોદરા કોર્પોરેશનના અધિકારી પદઅધિકારી શહેરની ઐતિહાસિક ધરોહરની ઝાંખી થકી વડોદરાને આગવી ઓળખ આપવા પ્રયાસ કરી રહ્યા છે.અને વડોદરા શહેર ઐતિહાસિક વારસો ધરાવતી અનેક ધરોહર ધરાવતું હોય પર્યટન થકી આવક ઊભી કરવાની પણ જાહેરાતો કરી ચુક્યા છે. આ માટે છ વર્ષ અગાઉ પર્યટકો માટે વડોદરા સાંસદના અનુદાનમાંથી 32 લાખના ખર્ચે વડોદરા સિટી દર્શન બસની શરૂઆત કરવામાં આવી હતી અને રેલવે સ્ટેશન પાસે 1.11 કરોડના ખર્ચે સિટી ઇન્ફોર્મેશન સેન્ટર બનાવવામાં આવ્યું હતું. જો કે, હવે પરિસ્થિતિ એ સર્જાઈ છે કે, વડોદરા સિટી ઇન્ફોર્મેશન સેન્ટર ચાર વર્ષ સુધી ધૂળ ખાધા બાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેતુ તોડી પાડયા બાદ તાજેતરના બજેટમાં નવું બનાવવાનું આયોજન હાથ ધરાયું નથી. જ્યારે પ્રારંભે જ નિષ્ફળતા સાપડતા મેન્ટેનન્સના નામે વડોદરા દર્શન બસની સુવિધા બંધ કર્યા બાદ આજ દિન સુધી શરૂ કરવામાં આવી નથી. અને કોર્પોરેશનની વેબસાઈટ પરથી પણ હવે સત્તાવાર તેને દૂર કરવામાં આવી છે. હાલ બસ વ્હિકલપુલ શાખામાં ધૂળ ખાય છે ત્યારે વડોદરાને આગવી ઓળખ માટેનું મહત્વનું આયોજન નિષ્ફળ જતા ભાવિ આયોજન અંગે સવાલો સવાલો ઉઠયા છે.અહીં કહી શકાય કે, ચોક્કસ નીતિ નિયમ અને અભ્યાસ વગર પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ આવી પરિસ્થિતિનું નિર્માણ થતાં અઢળક નાણાનો વ્યય થાય છે

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.