વડોદરા: કરણીસેનાના અધ્યક્ષની હત્યાના વિરોધમાં કરજણમાં બંધનું એલાન, વેપારીઓએ આપ્યુ સમર્થન
કરણીસેનાના અધ્યક્ષની હત્યાના વિરોધમાં વડોદરાના કરજણમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં વેપારીઓએ જોડાય બંધના એલાનને સમર્થન આપ્યું હતું
BY Connect Gujarat Desk8 Dec 2023 11:35 AM GMT
X
Connect Gujarat Desk8 Dec 2023 11:35 AM GMT
કરણીસેનાના અધ્યક્ષની હત્યાના વિરોધમાં વડોદરાના કરજણમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં વેપારીઓએ જોડાય બંધના એલાનને સમર્થન આપ્યું હતું
કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ સમગ્ર ભારતમાં તેના પડઘા જોવા મળી રહ્યા છે ગુજરાતમાં પણ તેના પડઘા સ્વરૂપે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.વડોદરા જિલ્લાના કરજણ ખાતે કરણી સેના દ્વારા આજરોજ કરજણ બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેના પગલે કરજણના વેપારી એસોસિયેશન દ્વારા તેનું સમર્થન કરી દુકાનો બંધ રાખવામાં આવી હતી. કરજણ બંધને સજ્જડ પ્રતિસાદ સાંપડ્યો હતો.
Next Story