વડોદરા : ભાજપના કોર્પોરેટર દ્વારા જમીન કૌભાંડ મુદ્દે કાર્યકર સહિત ત્રણ સામે પોલીસ ફરિયાદથી ચકચાર

કોર્પોરેટરે સમા પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર્તાઓ સહિત 3 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપી ભાજપ કાર્યકર દિલીપસિંહ ગોહિલ અગાઉ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે.

New Update
  • જમીન સોદામાં ભાજપ કાર્યકરે લગાવ્યો ચૂનો

  • ભાજપના કોર્પોરેટર સાથે જ ભેજાબાજોએ કરી ઠગાઈ

  • બોગસ વ્યક્તિઓને હાજર રાખીને વેચાણ દસ્તાવેજ કર્યા

  • જોકે સોદામાં આપેલો ચેક બેંકમાં જમા નહીં થતા કૌભાંડ આવ્યું બહાર

  • પોલીસે કોર્પોરેટરની ફરિયાદ દર્જ કરીને તપાસ કરી શરૂ 

વડોદરાના સુખલીપુરા ખાતેની જમીનના સોદામાં ભાજપના કોર્પોરેટરને ખુદ ભાજપના કાર્યકર સહિત ત્રણ લોકોએ ચૂનો ચોપડ્યો હતો,અને જમીનના મૂળ માલિકના બદલે અન્ય બોગસ વ્યક્તિને હાજર રાખીને વેચાણ દસ્તાવેજ બનાવી લીધો હતો,આખી ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ મથકના ચોપડે ફરિયાદ નોંધાઈ હતી.

વડોદરાના સુખલીપુરા ખાતે આવેલી મોરબીના મૂળ માલિકની મિલકત 1.45 કરોડમાં વેચાણ આપવાના બહાને ભાજપના કાર્યકર દિલીપસિંહ ગોહિલ સહિત બે શખ્સોએ ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા પાસેથી 21 લાખ રૂપિયા પડાવી લીધા છે.

બંને ઠગોએ માલિકના બદલે બોગસ વ્યક્તિને વેચાણ દસ્તાવેજ વખતે હાજર રાખી સહી પણ તેની પાસે કરાવી હતીપરંતુ કોર્પોરેટરે માલિકને આપેલો ચેક જમા નહી થતા શંકા ગઇ હતી અને બંને જણાનો ભાંડો ફૂટ્યો હતો.

કોર્પોરેટરે સમા પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર્તાઓ સહિત 3 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપી ભાજપ કાર્યકર દિલીપસિંહ ગોહિલ અગાઉ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે.

ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે20 વર્ષથી દિલીપસિંહ સાથે ભાજપમાં કામ કરતા હોવાથી તેમની પર વિશ્વાસ હતો અને અગાઉ પણ તેમની પાસેથી મે જમીન ખરીદી હતી.જોકે તેઓએ મારી સાથે ઠગાઈ કરી છે.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.