વડોદરા: વિદેશી વિદ્યાર્થીની દાદાગીરી, ડિપોઝીટના રૂપિયા બાબતે વૃદ્ધને મારમાર્યો

વડોદરાની જાણીતી પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઝિમ્બાબ્વેના એક વિદ્યાર્થીએ ડિપોઝીટના રૂપિયા બાબતે એક વૃદ્ધને માર માર્યો હતો

New Update

વડોદરામાં વિદેશી વિદ્યાર્થીનીદાદાગીરી

કન્સ્ટ્રક્શન સાઈટનામેનેજર પર કર્યો હુમલો

ઝિમ્બાબ્વેનો યુવક ખાનગીયુનિવર્સિટીમાંકરે છે અભ્યાસ

યુવકેડિપોઝીટનારૂપિયા મુદ્દે કર્યો હુમલો

તોફાની વિદ્યાર્થીએપોલીસનેપણ મારી થપ્પડ

વડોદરાની જાણીતી પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઝિમ્બાબ્વેના એક વિદ્યાર્થીએડિપોઝીટના રૂપિયા બાબતે એક વૃદ્ધને માર માર્યો હતો,તેમજ રૂપિયા 14 હજાર રૂપિયા પણ ટ્રાન્સફર કરી લીધા હતા,જ્યારે ઘટનામાં પોલીસ મધ્યસ્થી બનતા તોફાની વિદ્યાર્થીએપોલીસ પર પણ હુમલો કર્યો હતો.

વડોદરાનાઆજવા રોડ ખાતેનીડવ ડેક સોસાયટીની ઓફિસમાંમૂળ હાલોલના અને ખાનગી કન્સ્ટ્રક્શન સાઈટના મેનેજર58 વર્ષીય રમેશ અગ્રવાલબેઠા હતા,તે સમયે પારૂલયુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઝિમ્બાબ્વેના વિદ્યાર્થીએ ડિપોઝીટના રૂપિયા બાબતેતેમના પર હુમલો કર્યો હતો.અને વિદ્યાર્થીએ આ સિનિયર સિટીઝનને ઢસડી-ઢસડીને માર માર્યો હતો. વૃદ્ધનેમાર મારતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા અને તેમની આંખના ભાગે પણ ગંભીર ઇજા થઈ હતી.આ ઉપરાંત શરીરના ભાગે પણ ઈજાઓ પહોંચી છે. ત્યારબાદ તેમનો મોબાઈલ ઝૂંટવીને 14,000 રૂપિયા જબરદસ્તી તેના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા.અને ઘટના અંગે કપુરાઇ પોલીસનેજાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો.

જોકે આ તોફાની વિદેશી વિદ્યાર્થીએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો.પોલીસકર્મી પૃથ્વીસિંહને થપ્પડો અને લાતો મારી હતીજેથી તેઓ નીચે પડી ગયા હતા અને ઇજાગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત બીજા પોલીસકર્મી રમેશજેમલભાઈને પણ થપ્પડ મારી દીધી હતી.પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો ઝિમ્બાબ્વેનો વિદ્યાર્થી વોશિંગ્ટન ટકુરાહોવાનું જાણવા મળ્યું છે.પોલીસે આ વિદેશી વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂકરી છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.