વડોદરા : ગૌરી વ્રતની અનોખી રીતે ઉજવણી, મુસ્લિમ દીકરીઓએ હિન્દુ દીકરીઓના હાથમાં મહેંદી મુકી આપી...

ગૌરી વ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે વડોદરામાં મુસ્લિમ યુવતીઓએ હિન્દુ દીકરીઓના હાથમાં મહેંદી મુકી આપી કોમી એખલાસના દર્શન કરાવ્યા હતા.

New Update
વડોદરા : ગૌરી વ્રતની અનોખી રીતે ઉજવણી, મુસ્લિમ દીકરીઓએ હિન્દુ દીકરીઓના હાથમાં મહેંદી મુકી આપી...

ગૌરી વ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે વડોદરામાં મુસ્લિમ યુવતીઓએ હિન્દુ દીકરીઓના હાથમાં મહેંદી મુકી આપી કોમી એખલાસના દર્શન કરાવ્યા હતા.

તા. 1 જુલાઇ શનિવારથી ગૌરી વ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે વડોદરામાં સામાજીક કાર્યક્રર નિશિતા રાજપૂત દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગૌરી વ્રત કરનાર હિન્દુ દીકરીઓને ડ્રાયફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો આર.એન.પંડ્યા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી 51 મુસ્લિમ દીકરીઓએ જે હિન્દુ દીકરીઓ અલુણા વ્રત કરવાની છે, તેઓને હાથમાં મહેંદી મુકી આપી હતી. છેલ્લા 15 વર્ષથી આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે, ત્યારે આ અનોખા કાર્યક્રમ થકી કોમી એખલાસના દર્શન કરાવ્યા હતા.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.