વડોદરા : વાઘોડિયા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોહિલ દ્વારા જનસંપર્ક કાર્યક્રમ યોજાયો...

વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલનો જન સંપર્ક કાર્યક્રમ અનગઢ ગામ ખાતે યોજાયો હતો....

New Update
વડોદરા : વાઘોડિયા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોહિલ દ્વારા જનસંપર્ક કાર્યક્રમ યોજાયો...

વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલનો જન સંપર્ક કાર્યક્રમ અનગઢ ગામ ખાતે યોજાયો હતો. સમગ્ર દેશમાં ઉમેદવારો પ્રચાર અર્થે એડીચોટીનું જોર લગાડી રહ્યા છે, ત્યારે વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલ દ્વારા પણ જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. અનગઢ ગામ સહિતના વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલ દ્વારા લોક સંપર્ક કરવામાં આવ્યો હતો.

ગ્રામજનો પીવાના પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે, ત્યારે 2-3 કિલોમીટર ચાલી ગામની મહિલાઓ પીવાના પાણી ભરવા જતી હોય છે, ત્યારે મહિલાઓને પડતી આ વિકટ સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા માટે કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલ દ્વારા બાહેધરી આપવામાં આવી હતી. તો બીજી તરફ, અનગઢ ગામના પૂર્વ ધારાસભ્ય મંગળસિંહ ગોહિલ દ્વારા “જય ભવાની, ભાજપ જવાની”ના સૂત્રને સાર્થક કરવા ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.