વડોદરા: PM નરેન્દ્ર મોદીના હસ્તે વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ, મોદીએ કહ્યું જૂની વાતો યાદ આવે છે..

વડોદરામાં પ્રધાનમંત્રીએ 16 હજાર કરોડથી વધુના કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો.

New Update
વડોદરા: PM નરેન્દ્ર મોદીના હસ્તે વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ, મોદીએ કહ્યું જૂની વાતો યાદ આવે છે..

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ભૂમિપૂજ્ન કર્યું હતું. ચિક્કાર જનમેદનીને સંબોધતા તેઓએ વડોદરા સાથેની યાદ વાગોળી હતી ફરી એક વખત ગુજરાતના મે'માન બનેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાવાગઢના મહાકાળી મંદિરમાં સવારે ધ્વજારોહણ કરીને સંસ્કારી નગરી વડોદરાની મુલાકાત લીધી હતી. જ્યાં પ્રધાનમંત્રીએ 16 હજાર કરોડથી વધુના કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો.

આ પ્રસંગે જનસભાને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ વડોદરા સાથેના પોતાના સંસ્મરણોને પણ વાગોળ્યા હતા. સંઘ કાર્યકાળ સમયને વાગોળતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, વડોદરા સંસ્કારી નગરી છે અને અહીં આવો એટલે બધુ જુનું યાદ આવે જ. સાથે જ તેમણે જણાવ્યું કે, આજે અહીં આવ્યો ત્યારે જોયું કેટલાય વરિષ્ઠ કાર્યકર્તાઓ પણ જોવા મળ્યા જેમની આંગળીએ ચાલીને હું આગળ આવ્યો. તો વડોદરા આવો એટલે લીલો ચેવડો અને ભાખરવડી અચૂક યાદ આવે. તો રાવપુરાને પણ કેમ ભૂલી શકાય.

અભેધ સુરક્ષા કવચ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લેપ્રસી મેદાનમાં પાંચ જિલ્લામાંથી આવનારા લોકોને સંબોધન કર્યું હતું. વડાપ્રધાનની આ સભામાં 21 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનાં લોકાર્પણ-ખાતમુર્હૂત કર્યા હતા. એ પૂર્વે ડોમમાં જ ખુલ્લી જીપમાં બેસીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.