વડોદરા : રામનવમીએ નીકળેલી શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરનાર 23 લોકોની અટકાયત..!

શહેરમાં નીકળેલી રામજીની શોભાયાત્રા પર 2 અલગ અલગ સ્થળે થયેલા પથ્થરમારા મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી

New Update
વડોદરા : રામનવમીએ નીકળેલી શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરનાર 23 લોકોની અટકાયત..!

રામનવમીના દિવસે વડોદરા શહેરમાં નીકળેલી રામજીની શોભાયાત્રા પર 2 અલગ અલગ સ્થળે થયેલા પથ્થરમારા મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં 500 લોકોના ટોળાં વિરુદ્ધ ફરિયાદ નોંધી સમગ્ર રાત્રિ દરમ્યાન હાથ ધરાયેલા કોમ્બિંગમાં 23 લોકોની અટકાયત કરવામાં આવી છે.

વડોદરા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કાઢવામાં આવેલી ભગવાન રામજીની શોભાયાત્રા પર બપોરે 1:30 વાગ્યાની આસપાસ ફતેપુરા વિસ્તારમાં આવેલા પાંજરીગર મહોલ્લામાં પથ્થરમારો થયો હતો. તેના માત્ર 4 કલાક બાદ ફતેપુરાના કુંભારવાડામાંથી નીકળેલી બીજી શોભાયાત્રા પર ફરીથી સાંજે 5:42 કલાકે પથ્થરમારો શરૂ થયો હતો. કુંભારવાડામાંથી 5:38 કલાકે શોભાયાત્રા નીકળી હતી, અને માત્ર 4 મિનિટમાં જ શોભાયાત્રા પર પથ્થરોનો વરસાદ શરૂ થઈ ગયો હતો.

પહેલી શોભાયાત્રા પછી બીજી શોભાયાત્રા પર પથ્થરમારો થયો તે ફૂલ પ્રુફ પ્લાનિંગ સાથે થયો હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે, ત્યારે આ મામલે વડોદરા જિલ્લા પોલીસે સમગ્ર રાત્રિ દરમ્યાન પથ્થરમારો થયેલ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. જેમાં 23 લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ શખ્સોની પૂછપરછમાં વધુ 22 લોકોના નામ પણ સામે આવ્યા છે, ત્યારે હાલ તો પોલીસે 500 લોકોના ટોળાં વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ વડોદરા શહેર તથા જીલ્લામાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પણ પોલીસ સજ્જ થઈ છે.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.