વડોદરા: "વર્લ્ડ ડાયાબીટીસ ડે" નિમિત્તે જુવેનાઇલ બાળકો માટે ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

"ડાયાબીટીસ સાથે સારું જીવન કેવી રીતે જીવવું" તે ઉદ્દેશ્યથી સંસ્થા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

20 માઇક્રોન્સ ફાઉન્ડેશન દ્વારા આજે "વર્લ્ડ ડાયાબીટીસ ડે" શનેન ધ વર્લ્ડ સ્કુલ ખાતે ડાયાબીટીસથી પીડાતા જુવેનાઇલ બાળકો માટે ડાયાબીટીસ ચેકઅપ, બ્લડ, સુગર ચેકઅપ, સાથે "ડાયાબીટીસ સાથે સારું જીવન કેવી રીતે જીવવું" તે ઉદ્દેશ્યથી સંસ્થા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

20 માઇક્રોન્સ ડાયાબિટીસ સેન્ટરના ફાઉન્ડર સ્વ. શ્રી ચંદ્રેશ પરીખનું હમેંશાથી એક સ્વપ્ન હતું કે, કેવી રીતે સમાજને ડાયાબીટીસની સાથે સવસ્થ અને સારું જીવન જીવતા શીખવાડાય. સ્વ. ચંદ્રેશભાઈ પરીખ દ્વારા 20 માઇક્રોન્સ ની શરૂઆત 14-11-2008માં કરવામાં આવી હતી. આજે સંસ્થામાં 150 જેટલા જુવેનાઇલ ડાયાબિટીક બાળકો અને 4850 જેટલા રજીસ્ટર્ડ મેમ્બર છે. આજરોજ જુવેનાઇલ બાળકોને પ્રોત્સાહિત કરવામાટે ડો. મોના શાહ - સિનિયર ડાયાબીટીસ નિષ્ણાત ડોકટર, દિના પટેલ - મેરેથોન રનર, ડો. શિવાંગી ધરીયા સોલંકી નેપ્રોલોજિસ્ટ, ડો. જયપ્રકાશ પુરોહિત- ઓપથોમોલોજિસ્ટ, ડો. સંજય મજમુદાર - બાળકોના રોગ નિષ્ણાત, ડો. શિવાંગી પટેલ - કાઉન્સેલર, ડો. સ્વાતિ બેન ધ્રુવ - પ્રોફેસર ન્યુટ્રીશન દ્વારા માહિતી અને માર્ગદર્શન પૂરુ પાડવામાં આવ્યું હતું. 20 માઇક્રોન્સ દ્વારા જ્ઞાન સાથે ગમ્મત થાય એવા બાળકો માટેના મેજીક શોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શહેર અને ગામડાઓ માંથી 100 ઉપરાંત જુવેનાઇલ બાળકો તેમના માતાપિતા સાથે ઉપસ્થિત રહયા હતા.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

Latest Stories